________________
રાજનગરનાં જિનાલયો
લેખ હોવાનો પણ ઉલ્લેખ છે. સં. ૧૯૧૨માં પાંજરાપોળમાં દર્શાવેલાં ચાર દેરાસરો પૈકીમાંનું એક દેરાસર તે આ દેરાસર હોવાનો સંભવ છે.
સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે અને તેના બંધાવનારના નામ તરીકે મનસુખભાઈ બાદરદાસ જણાવેલું છે. અને તે સમયે આ દેરાસર જીર્ણ અવસ્થાવાળુ જણાવાયેલું છે. તેથી આ દેરાસર સં ૧૯૧૨ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે.
સં. ૧૬૮૨માં શાંતિદાસ ઝવેરીએ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે અંજનશલાકા થયેલી પ્રતિમાઓ પૈકીમાંની આ પ્રતિમા હોવાનો સંભવ છે.
૮૧
મુલેવા પાર્શ્વનાથ (સં. ૧૯૧૨ પહેલાં)
આ ઘુમ્મટબંધી દેરાસરનો ઉલ્લેખ સૌપ્રથમ સં. ૧૯૧૨માં આવે છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. “મુડેવાની ખડક એક તિહાં દેહરાં દોય વિવેક મુડેવાં પારસ પાંમિ ધરમનાથ નમુ સિરનામિ ॥”
આ દેરાસરનો વહીવટ શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યો છે. દેરાસરમાં મૂળનાયકની પ્રતિમા ૫૨ સં. ૧૬૮૨નો લેખ છે. શાંતિદાસ ઝવેરીએ સરસપુરમાં ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરની પ્રતિષ્ઠા સમયે અંજન શલાકા કરાવેલી પ્રતિમાઓ પૈકી એક પ્રતિમા હોવાનો સંભવ છે.
સ્થાનિક કથા પ્રમાણે આ દેરાસર આશરે ૩૦૦ વર્ષ જૂનું હતું. પણ તે લાકડાનું હતું. ત્યારબાદ આરસનું બન્યું. આરસનું બન્યા પછી પણ ત્રીજી વખત જીર્ણોદ્ધાર થયો. આ જીર્ણોદ્વાર થયા પછી સં. ૨૦૩૮માં તેથી પુનઃપ્રતિષ્ઠા થઈ. તે સમયે એક શિલાલેખ દેરાસરમાં પ્રવેશ કરતાં ડાબી બાજુએ લગાડવામાં આવ્યો છે. તે લેખમાં જણાવ્યા પ્રમાણે આચાર્ય શ્રી વિજયનંદન સૂરીશ્વરજી મહારાજ સાહેબે આપેલા શુભમુહૂર્ત અનુસાર અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈના કુશળ માર્ગદર્શન પ્રમાણે મૂળનાયક શ્રી આદિશ્વરજી, તેમની જમણી બાજુના મૂલેવા પાર્શ્વનાથજી, ડાબી બાજુના મહાવીર સ્વામી ભગવાનની જૂની પ્રતિષ્ઠા કાયમ રાખીને ઉત્થાપન કરેલા બીજા જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા અઠ્ઠાઈ મહોત્સવ સહિત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજયમેરૂપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજય પ્રિયંકર સૂરીશ્વરજી મહારાજસાહેબ આદિ મુનિ ભગવંતોની નિશ્રામાં અને શેઠ આણંદજી કલ્યાણજી તથા શેઠ હઠીસિંહ કેસરીસિંહ ટ્રસ્ટના પ્રમુખ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈ અને અન્ય ટ્રસ્ટીઓની
રા-૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org