________________
૭૪
રાજનગરનાં જિનાલયો
જોવા મળે છે. આ ત્રણ દેરાસરો એટલે રાજપર, વાઘણપોળ અને કાળુશીની પોળના દેરાસરો. શ્રી સહસ્રફણા શામળા પાર્શ્વનાથની પદ્માસનસ્થ પ્રતિમા પરિકર સહિત ૪૫ ઇંચની ઊંચાઈનાં છે. ભોંયરામાં આદીશ્વર ભગવાનની પ્રતિમાજી ૮૫ ઇંચના છે. આ પ્રતિમાજી ચમત્કારિક છે.
શાંતિનાથજીનું દેરાસર ઘુમ્મટબંધી અને ભોંયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક શાંતિનાથ ભગવાન છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમા સં ૧૬૬૧માં પ્રતિષ્ઠિત થયેલી છે. આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. દેરાસરજીમાં ગૌતમ સ્વામીની મૂર્તિ છે.
શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ઘણી પ્રાચીન ધાતુ પ્રતિમાજીઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ” ભાગ-૧માં કરવામાં આવ્યો છે. આ દેરાસરમાં સં ૧૩૦૪ની ૧૪મા સૈકાની, સં ૧૪૧૫, સં. ૧૪૧૯, સં ૧૪૩૩, સં. ૧૪૩૪, સં. ૧૪૬૧, સં. ૧૪૬૬ની ૧૫મા સૈકાની તથા ૧૬મા તથા ૧૭મા સૈકાની પ્રતિમાજીઓનો ઉલ્લેખ થયેલો છે.
ટૂંકમાં, દેવસાના પાડામાં આજે વિદ્યમાન શામળા પાર્શ્વનાથજીનું દેરાસર તથા શાંતિનાથજીનું દેરાસર સં ૧૬૬૨ પહેલાના છે. આ દેરાસરો ૧૬મા સૈકાના ઉત્તરાર્ધ ભાગના એટલે કે સં. ૧૫૫૧થી સં. ૧૬૦૦ દરમ્યાનનાં હોવાનો પણ સંભવ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
ચિંતામણિ પાર્શ્વનાથ તથા ધર્મનાથજીનાં દેરાસરો ઘણા સમય પછી અસ્તિત્વમાં આવેલાં છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ બંને દેરાસરો આશરે ૧૨૫ વર્ષ જૂનાં હોવાનો સંભવ છે. સંભવ છે કે ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું પણ હોય. સં. ૧૮૨૧ની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં ચાર દેરાસરો હોવાનો ઉલ્લેખ છે, જે પૈકી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર હોવાનો સંભવ છે. આ દેરાસરનો છેલ્લો જીર્ણોદ્ધાર સં. ૨૦૫૨માં થયેલો છે. અને તે સમયે આશરે રૂા. એક લાખનો ખર્ચ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથની પદ્માસનસ્થ પરિકર સહિત પ્રતિમા આશરે ૧૭ ઇંચ ઊંચાઈની છે.
ધર્મનાથજીનું દેરાસર દેવસાના પાડાનાં બાકીનાં ત્રણ દેરાસરોની સરખામણીએ પાછળથી બંધાયું હોવાનો સંભવ છે. જો કે આ દેરાસરના ઉપરના માળે આવેલા અભિનંદન સ્વામીના ગભારામાં ધાતુની કેટલીક પ્રાચીન પ્રતિમાઓનો ઉલ્લેખ “જૈન ધાતુ પ્રતિમા લેખ સંગ્રહ' ભા ૧માં થયેલો છે. સં. ૧૨૬૪ની ૧૩મા સૈકાની, સં ૧૪૦૦ની ૧૪મા સૈકાની, સં૰૧૪૭૪ની ૧૫મા સૈકાની, તથા ૧૯મા સૈકાની પ્રતિમાજીઓ આ દેરાસરમાં હોવાનો ઉલ્લેખ છે. ધાતુની આ પ્રાચીન પ્રતિમાઓ આ દેરાસરમાં હોવાથી આ દેરાસર પણ વધુ પ્રાચીન હોવાની શક્યતાને નકારી શકાય નહીં. જો કે નવા જિનાલયમાં ધાતુની પ્રાચીન પ્રતિમાઓની સ્થાપના કરવાની પરંપરા રાજનગરનાં ઘણાં જૈન દેરાસરોમાં જોવા મળે છે. તેથી આ અંગે વધુ સંશોધન ક૨વાની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org