SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો .પાટક દેવસી સાહા કહીઈ મોટી પ્રતિમા અતિ ભલી આદિ જિન કેરીઇ લહીઈ ।। શાંતિ ભુવનિ બિંબ બાવીસ અચિરાનંદમ જિનવર સહસ્રફણા આદિ કરી નવ્યાસી બિંબ મનોહર’ 66 સં. ૧૮૨૧ની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં કુલ ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર ‘દેવસી સાની પોળ' તરીકે પ્રસિદ્ધ હતો. આ ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં દેવસાના પાડાના ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. “વધર્માન સાને મંદિરે શીતલ સહજાનંદ દેવસીસાની પોળમાં ચઉ ચૈત્ય અભંગ ॥’ ૭૩ સં. ૧૯૧૨ની ચૈત્ય પરપાટીમાં સંજોગોવશાત્ શરતચૂકથી દેવસાના પાડાનાં જૈન દેરાસરોનો ઉલ્લેખ થયેલો નથી. Jain Education International સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં દેવસાના પાડાના વિસ્તારના બે સ્પષ્ટ ભાગ દર્શાવવામાં આવ્યા છે. એક ભાગ દેવસાનો પાડો' એ નામથી દર્શાવવામાં આવ્યો છે, જેમાં ચિંતામણિ પાર્શ્વનાથજીના દેરાસરનો તથા ધર્મનાથજીના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર તે સમયે ઘુમ્મટબંધ હતું. અને ધર્મનાથજીનું દેરાસર ઘર દેરાસરની બાંધણીના સ્વરૂપનું દર્શાવવામાં આવ્યું હતું. ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં આરસની બનાવેલી શેઠની એક મૂર્તિ પ્રાચીન હોવાનો ઉલ્લેખ થયેલો છે. અને ધર્મનાથજીના મેડા ઉપર દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. આજે પણ મેડા ઉપર શ્રી અભિનંદન સ્વામીનું દેરાસર છે. આ બંને દેરાસરોના વહીવટદાર તરીકે શ્રી વાડીભાઈ ચકુભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. બીજો ભાગ દેવસાનો અંદરનો પાડો' એ નામથી દર્શાવવામાં આવ્યો છે, જેમાં શાંતિનાથજીનું ઘુમ્મટબંધ દેરાસર તથા શામળાજી પાર્શ્વનાથનું ઘુમ્મટબંધ દેરાસર એમ બે દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. શાંતિનાથજીના દેરાસરમાં મૂળનાયક પર સં૰ ૧૬૬૧નો લેખ છે. અને બંધાવ્યાની સંવત લગભગ ૧૭૦૦ની દર્શાવવામાં આવેલી છે. આ દેરાસરના વહીવટદાર તરીકે તે સમયે શેઠ રતિલાલ ડાહ્યાભાઈનું નામ છે અને શ્રી શામળા પાર્શ્વનાથજીના દેરાસરના વહીવટદાર તરીકે પુનમચંદ દામોદરદાસનું નામ છે. આ બંને દેરાસરો ભોંયરાવાળા હોવાનો ઉલ્લેખ પણ છે. શામળા પાર્શ્વનાથના દેરાસરનાં ભોંયરામાં શ્રી આદિનાથજી બિરાજમાન છે. સં. ૧૬૬૨માં શામળા પાર્શ્વનાથ અને આદિનાથ ભગવાનના દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તેથી આ દેરાસર સં. ૧૬૬૨ પહેલાના સમયનું છે. શ્રી સહસ્રફણાશામળાજી પાર્શ્વનાથની પ્રતિમા પરના લેખ પરથી આ પ્રતિમાની પ્રતિષ્ઠા સં ૧૬૬૧માં થયેલી છે. આ પ્રતિમા એક જ આરસના પથ્થરમાંથી કોતરેલ છે. તેની આસપાસ અર્ધપરિકર છે. અમદાવાદમાં આ સ્વરૂપની પ્રતિમાજી કુલ ચાર દેરાસરોમાં જોવા મળે છે. અને દરેક દેરાસરમાં તે એકસરખી અને આબેહૂબ રા-૧૦ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy