SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ - રાજનગરનાં જિનાલયો દેરાસર લાકડાનું હતું. ત્યારબાદ આ દેરાસરની પુનઃપ્રતિષ્ઠા સં૧૯૯૮માં થઈ હતી. સં. ૧૯૭૯માં “શ્રી વિવિધ પૂજાસંગ્રહ” ભા-૧-૨-૩-૪માં જૂના મહાજનવાડાના સુમતિનાથના આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ સુદ સાતમ દર્શાવવામાં આવેલી છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર શેઠ શ્રી મગનભાઈ કરમચંદના વંશજ શેઠ શ્રી અંબાલાલ સારાભાઈએ કરાવ્યો હતો. અને ત્યારબાદ દેરાસરની પુન:પ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય નંદનસૂરી મહારાજ સાહેબની નિશ્રામાં થઈ હતી. શ્રી સુમતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાની ઊંચાઈ ૧૩ ઇંચ છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં “મહાજનને પાંજરે” તથા કાલુપુરમાં એમ બે વિસ્તારોમાં શાંતિનાથજીનાં દેરાસરોનો ઉલ્લેખ આવે છે. “શાંતિનાથ હરણ ભવ તાપ મહાજનને પાંજરે આપ, . એક ચૈત્ય કાલુપુર દીઠો જિન શાંતિ સુધારા (સ) મીઠો ” આ બે દેરાસરો પૈકીમાંનું કોઈ એક દેરાસર અને આજે વિદ્યમાન જૂના મહાજનવાડામાં આવેલું શાંતિનાથજીનું દેરાસર – એ બે વચ્ચે કોઈ સામ્ય-સંબંધ હશે કે કેમ તે અંગે વધુ સંશોધન થવું જોઈએ. અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં. ૧૯૭૯ પહેલાના સમયનું છે. સં. ૧૯૬૩માં પ્રગટ થયેલ જૈન શ્વેતાંબર કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો નથી. એટલે આ દેરાસરનો સમય સં૧૯૧૨ પહેલાંનો નક્કી કરવા માટે વધારે પુરાવાઓની જરૂર છે. દેવસાના પાડાનાં દેરાસરો દેવસાના પાડામાં નીચે મુજબનાં દેરાસરો છે. • સહસ્ત્રફણા પાર્શ્વનાથ (ભોંયરામાં આદિનાથ) સં. ૧૬૬૨ પહેલાં • શાંતિનાથ (ભોંયરામાં શાંતિનાથ) સં. ૧૬૬૨ પહેલાં • ચિંતામણિ પાર્શ્વનાથ સં. ૧૮૨૧ પહેલાં • ધર્મનાથ (ઉપરના માળે અભિનંદન સ્વામી) ૧૨૫ વર્ષ જૂનું સં. ૧૯૬૨માં રચાયેલી લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં દેવસાના પાડામાં સહસ્રફણા, આદિનાથ, શાંતિનાથ તથા શાંતિનાથ એમ કુલ ચાર દેરાસરોનો ઉલ્લેખ થયેલો છે. તે સમયે આ વિસ્તાર “પાટક દેવસી શાહ'ના નામથી પ્રસિદ્ધ હતો. ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરોનો ઉલ્લેખ આવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy