________________
રાજનગરનાં જિનાલયો
૭૧
સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસરની સ્થાપનાનું વર્ષ સં. ૧૯૦૩ દર્શાવવામાં આવે છે. વળી, દેરાસરમાંથી મુનિસુવ્રતના નાના દેરાસરમાં જવાનો રસ્તો છે. આ મુનિસુવ્રતના દેરાસરમાં સરસ્વતી દેવીની પ્રતિમા છે. સરસ્વતી દેવીની આ પ્રતિમા વિરલ અને અનન્ય છે. દેરાસરમાં સં. ૧૯૫૫ તથા સં. ૧૯૯૭માં ગોખ બંધાયાના લેખો છે.
પંચભાઈની પોળના શાંતિનાથના દેરાસરનો સમય પણ આદેશ્વર ભગવાનના દેરાસર પ્રમાણેનો જ છે. શાંતિનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૨૦૧૯ થી ૨૦૨૧ દરમ્યાન થયેલો છે. તે સમયે દેરાસરની ચોકની જગ્યા દેરાસરમાં જોડી દઈ દેરાસ૨ મોટું ક૨વામાં આવેલ છે. આ દેરાસર માટે પણ ઉપર જણાવેલો ભાડાનો દસ્તાવેજ કરવામાં આવેલો છે. ભાડાની ઊપજ આ દેરાસરના નિભાવ માટે પણ તે સમયથી વાપરવામાં આવતી હતી.
જેસિંગભાઈની વાડી આદિનાથ (સં. ૧૯૬૧)
આદિનાથ ભગવાનનું આ દેરાસર સામરણયુક્ત છે. આ દેરાસરની સ્થાપના સં. ૧૯૬૧માં થઈ હતી.
શેઠ જેસીંગભાઈ હઠીસિંહ તથા તેમનાં ધર્મપત્ની શણગારબાઈએ ઘી કાંટા ઉપર આવેલી પોતાની આ વાડીના વિશાળ ચોકમાં પોતાનાં સ્વદ્રવ્યથી આ ભવ્ય દેરાસર બંધાવી, જૈન શાસનની શોભામાં વૃદ્ધિ કરી છે. આ મંદિરમાં બિરાજમાન મૂળનાયક ઋષભદેવ ભગવાનની પ્રતિમા નિશાપોળનાં જગવલ્લભ પાર્શ્વનાથના ભોંયરામાંથી લાવવામાં આવેલી. માટે તે સમયના જગવલ્લભ પાર્શ્વનાથના દેરાસરના વહીવટદાર માસ્તર ગટાભાઈ ઉમેરચંદે (વાદી કુટુંબ) શુભેચ્છા પ્રદર્શિત કરી હતી. તેઓ પણ આ પુણ્ય કાર્યમાં ભાગીદાર બન્યા હતા. દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૬૧ના જેઠ માસની સુદ દસમે ખૂબ જ ધામધૂમ પૂર્વકના અઠ્ઠાઈ મહોત્સવ વગેરે શાસન શોભાનાં સમગ્ર કાર્યો સાથે શાસન સમ્રાટ પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સાહેબના શુભ હસ્તથી શુદ્ધ વિધિ-વિધાન સાથે થઈ હતી.
આ દેરાસરમાં બે મોટા શિલાલેખ લગાડવામાં આવ્યા છે.
જૂનો મહાજન વાડો
સુમતિનાથ (સં. ૧૯૭૯ પહેલાં)
કાલુપુર-પાંચ પટ્ટીની નજીક અને કાલુપુર સ્વામીનારાયણ મંદિરના રોડ ઉપર આવેલી છીપાપોળ, ટીંબા પોળ વગેરે વિસ્તારોની નજીક ‘જૂનો મહાજનવાડો' નામથી પ્રચલિત પોળ આવેલી છે. આ પોળમાં સુમતિનાથ ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર આવેલું છે. અગાઉ આ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org