________________
રાજનગરનાં જિનાલયો પંચભાઈની પોળનાં દેરાસરો
આદીશ્વર-શાંતિનાથ
(સં. ૧૯૦૮ આસપાસ) પંચભાઈની પોળમાં આદીશ્વર તથા શાંતિનાથ ભગવાન એમ બે દેરાસરો છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરોનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“પંચભાઈની પોલ રૂડી ચૈત્ય બે જિન રાજતા
આદિ શાંતિ દેવ દેખિ દેવ દૂકા લાજતા !” સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં પંચભાઈની પોળના શ્રી આદેશ્વરભગવાનના દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે અને બંધાવનારનું નામ શેઠ હઠીસિંહ કેસરીસિંહ છે. બંધાવ્યાની સાલ સો વર્ષ પહેલાંની તે સમયે જણાવવામાં આવેલી છે. જ્યારે શાંતિનાથજીનું દેરાસર ધાબાબંધી હોવાનો ઉલ્લેખ છે. બંધાવનારનું નામ મોતીકુંવર છે. અને તે સો વર્ષ પહેલાં તે સમયે બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં શ્રી શાંતિનાથ તથા શ્રી આદિનાથના દેરાસરનો ઉલ્લેખ ઘર દેરાસરની બાંધણીના પ્રકારનો દર્શાવવામાં આવ્યો છે. અને તે સમયે વહીવટદારનું નામ શેઠ પૂંજાભાઈ છોટાલાલ દર્શાવવામાં આવ્યું છે.
આદેશ્વરજીના દેરાસરના ગભારાનો પ્રથમ જીર્ણોદ્ધાર સં. ૨૦૧માં થયેલો હતો. અને ત્યારબાદ સંપૂર્ણ દેરાસરજીનો જીર્ણોદ્ધાર સં૨૦૩૬ થી ૨૦૪૧ દરમ્યાન થયેલ છે. મૂળનાયક શ્રી આદેશ્વર ભગવાનની મૂર્તિની ઊંચાઈ આશરે પાંત્રીસ ઇંચ છે. દેરાસરમાં પાષાણની ૨૦ પ્રતિમાજી ઉપરાંત શ્રી મહાવીર સ્વામી ભગવાનની એક સ્ફટિકની પ્રતિમા પણ છે.
આ દેરાસરનો ધ્વજદંડ ખંડિત થયેલો. તેનું ઉત્થાપન પોષ સુદ ૧૧ને તા. ૧૬-૧-૧૯૯૨ને ગુરુવારે કરવામાં આવેલ અને નૂતન ધ્વજદંડની સ્થાપના પોષ વદ ૫ તા. ૨૪-૧-૯રને શુક્રવારે વિધિપૂર્વક કરવામાં આવેલી.
* દેરાસરનો સમય નક્કી કરવામાં એક દુકાનના ભાડૂત સાથે થયેલા દસ્તાવેજનો આધાર મહત્ત્વનો છે. તે દસ્તાવેજમાં “સંવત ૧૯૦૮ના વરખે પહેલા ભાદરવા સુદ ૧૦ વાર ભોમવારે તા. ૨૪ ઑગસ્ટ ૧૮૫રના અંગ્રેજી દીને” નો આધાર પ્રાપ્ત થાય છે. એ સમયે દુકાન ભાડાની ઊપજ દેરાસરના નિભાવ માટે વાપરવામાં આવતી. એટલે કે આ દેરાસરનો સમય સં૧૯૦૮ આસપાસ હોવાનો વિશેષ સંભવ છે. સં. ૧૯૦૩માં હઠીસિંહના દેરાસરની પ્રતિષ્ઠા થઈ હતી. તે પ્રસંગે અંજન શલાકા થયેલી પ્રતિમા આ દેરાસરમાં હોવાનો સંભવ છે. આ અંગે વધુ સંશોધનની જરૂર છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org