________________
રાજનગરનાં જિનાલયો ટૂંકમાં, આજે વિદ્યમાન શાંતિનાથ ભગવાનના દેરાસરમાં ગોડી પાર્શ્વનાથ અને પાર્શ્વનાથના નાનાં દેરાસરો છે. આજે આ દેરાસર ઘુમ્મટબંધી છે.
શાંતિનાથજીના દેરાસરમાં માણિભદ્રવીરની પ્રતિમાજી છે તથા ગુરુમૂર્તિ છે. આ ગુરુમૂર્તિ આચાર્ય ભગવંત શ્રી વિજયભક્તિસૂરીશ્વરજી મહારાજની છે.
લુણસાવાડો, મોટી પોળ
સંભવનાથ (સં. ૧૯૧૨ પહેલાં) સંભવનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી રત્નવિજયની રાજનગર તીર્થયાત્રામાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“ભાવ નિરખુ હરખ મેં સંભવ પ્રભુ દીદાર
લુણસાવાડે નિત નમું નાથ દીયાનો હાર ” સં. ૨૦૦૯માં પ્રકટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસર ધાબાબંધ દર્શાવ્યું હતું. તે સમયે મેડા ઉપર પણ દેરાસર હતું તેવો ઉલ્લેખ છે. અને વહીવટદાર તરીકે શેઠ હરીલાલ ઉવરચંદનો ઉલ્લેખ મળે છે. આજે આ દેરાસર ઘુમ્મટબંધી છે.
દેરાસરમાં એક વિસ્તૃત લેખ પ્રાપ્ત થાય છે, જેમાં નીચે મુજબની માહિતી આપવામાં આવી છે.
લુણાવાડા મોટી પોળના રહેવાસી શ્રીયુત મૂલચંદભાઈ પૂજાભાઈ પારેખે ભગવતી દીક્ષા ગ્રહણ કરી તેની ખુશાલીમાં તેમના ભાઈ શ્રી ધરમચંદ પૂજાભાઈ પારેખે આ પોળમાં ઘર દેરાસર જેવું લાકડાનું દેરાસર બનાવવાની ભાવનાથી વિસં. ૧૯૧૬ના માગસર સુદ ૧૦ના રોજ એનું ખાતમુહૂર્ત કરાવીને વિ. સં. ૧૯૧૭ના ફાગણ સુદ પાંચમના મંગલદિને મૂલનાયક શ્રી સંભવનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. તે સમયે આ પોળમાં જૈનોનાં ફક્ત સાત જ ઘર હતાં. તે પછી એ જૂના દેરાસરનો પાયો તથા ગભારો જેમનો તેમ રાખી આખું દેરાસર નવું પથ્થરનું બંધાવ્યું. અને ઉપરના ભાગમાં મૂલનાયક શ્રી અરનાથ ભગવાન સહિત ગભારામાં ત્રણ, બાજુના ગોખલામાં એક અને નીચે ગોખલામાં એક એમ પાંચ જિનબિંબો પધરાવી એની પ્રતિષ્ઠા વિ. સં. ૨૦૧૫ના મહા સુદ પ(વસંત પંચમી)ના રોજ પરમપૂજ્ય આગમ પ્રભાકર મુનિ ભગવંત પુણ્ય વિજયજી મહારાજની નિશ્રામાં કરવામાં આવી. આ દેરાસરનું બાંધકામ સોમપુરા શ્રી મનસુખરામ મિસ્ત્રીએ કર્યું હતું. આ પછી અહીંની વસ્તીના પ્રમાણમાં આ દેરાસર નાનું પડતું લાગ્યું એટલે દેરાસરની બાજુમાં બે ઘર વેચાતાં લઈને ત્યાં આ નવું જિનાલય બંધાવી એને જૂના જિનાલય સાથે જોડી દેવામાં આવ્યું. અને એની અંદર મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાન અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org