________________
રાજનગરનાં જિનાલયો
૬૭
સ્થાપના સ્થાનિક માહિતી પ્રમાણે સં. ૨૦૧૪માં થઈ હતી. પરમ પૂજ્ય આચાર્યશ્રી અમૃતસૂરીશ્વરજી મહારાજ તેમજ પરમ પૂજ્ય આચાર્ય શ્રી ભુવનસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. પ્રતિષ્ઠા સં૨૦૧૯માં થઈ હતી તેવો લેખ મળે છે. તેથી આ દેરાસરની સ્થાપના સં. ૨૦૧૪માં કે પછી સં૨૦૧૯માં થઈ હતી તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
મંગલ પારેખનો ખાંચો મંગલપારેખના ખાંચામાં ત્રણ દેરાસરો છે. ૧. શાંતિનાથજીનું દેરાસર (સં. ૧૯૨૪) ૨. ગોડી પાર્શ્વનાથનું દેરાસર (સં. ૧૯૪૪) ૩. પાર્શ્વનાથનું દેરાસર (સં. ૧૯૮૮)
ત્રણેય દેરાસર એક જ સંકુલમાં આવેલા છે. શાંતિનાથજીના દેરાસરની સ્થાપના સં. ૧૯૨૪માં થઈ હતી. શ્રી ગોડી પાર્શ્વનાથના દેરાસરની સ્થાપના સં૧૯૪૪માં થઈ હતી. અને શ્રી પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની સ્થાપના સં. ૧૯૮૮માં થઈ હતી. તથા તેની પુનઃપ્રતિષ્ઠા સં. ૨૦૧૦માં થઈ હતી. - શાંતિનાથના આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૨માં ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. દેરાસર બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અને દેરાસર બંધાયાની સાલ સં. ૧૯૨૪ દર્શાવવામાં આવી છે. ઉપરાંત, ગોડી પાર્શ્વનાથજીના દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ તરીકે થયેલો છે. અને દેરાસર બંધાવનાર તરીકે શ્રી શાહ દોલતરામ ઘેલાભાઈનું નામ દર્શાવવામાં આવ્યું છે. અને દેરાસર બંધાવ્યાની સાલ સં૧૯૪૪ દર્શાવવામાં આવી છે.
સં. ૧૯૬૨માં મંગલપારેખના ખાંચામાં શ્રી શાંતિનાથ, શ્રી ગોડી પાર્શ્વનાથજી એમ બે દેરાસરોનો જ ઉલ્લેખ થયો છે. સં. ૨૦૦૯માં પ્રસિદ્ધ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ બે દેરાસરો ઉપરાંત પાર્શ્વનાથજીના ઘુમ્મટબંધ દેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે, જેમાં બંધાવનારનું નામ ડાહ્યાભાઈ દોલતરામની વિધવાબાઈ “સમરતનું નામ દર્શાવવામાં આવ્યું છે અને બંધાવ્યાની સાલ સં. ૧૯૮૮ દર્શાવવામાં આવી છે.
સં. ૨૦૦૯માં શાંતિનાથના દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. અને બંધાવનાર તરીકે શ્રી સંઘનો નિર્દેશ કરવામાં આવ્યો છે. અને મૂળનાયક પર સં૧૯૨૧નો લેખ છે. તે સમયે આ દેરાસરનો વહીવટ શ્રી ડાહ્યાભાઈ સાકરચંદ કરતા હતા. ગોડીજી પાર્શ્વનાથના દેરાસરનો ઉલ્લેખ સં. ૨૦૦૯માં શિખરબંધી દેરાસર તરીકે કરવામાં આવ્યો છે. તથા આ દેરાસર બંધાવનારનું નામ શેઠ દોલતરામ ઘેલાભાઈ તથા સં૧૯૪૪ દર્શાવવામાં આવ્યાં છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org