________________
રાજનગરનાં જિનાલયો પોળ અને માંડવીની પોળના વિસ્તારમાં આ નામની કોઈ પોળ તે સમયે અસ્તિત્વમાં હોય અથવા આજે જેને શાહપુરના વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે તે વિસ્તારની કોઈ પોળનો ઉલ્લેખ હોય. જોકે પરંપરા પ્રમાણે શાહપુરનો ઉલ્લેખ એક વિસ્તાર તરીકે થયેલો છે. કોઈ પોળ તરીકે થયેલો નથી. પરંતુ બનવા જોગ છે કે શાહપુરમાં આવેલી કોઈક પોળનો ઉલ્લેખ શાહપુરની પોળ તરીકે તે સમયે કરવામાં આવતો હોય. કારણ કે દરવાજાનો ખાંચો એ નામ કોઈ વ્યક્તિવિશેષ સાથે જોડાયેલો નથી. ઉપરાંત, ખાંચામાં ઘણી ખડકીઓનો સમાવેશ થયેલો છે. અમદાવાદની પોળોના નામકરણનો ઇતિહાસ ચકાસીએ તો પોળમાં ખાંચા હોય પણ ખાંચો આટલા મોટા વિસ્તારનો હોય અને તેમાં ઘણી ખડકીઓ હોય તેવાં દષ્ટાંત નજરે પડતાં નથી.
- ટૂંકમાં, આ દેરાસરની સ્થાપના સં૧૯૪૮માં થઈ હશે તેવો મત વધુ શ્રદ્ધેય બને છે. તે અગાઉની પ્રાચીનતા નક્કી કરવા માટે વધુ આધારભૂત પુરાવાઓની જરૂર રહે છે.
આજે કાચની સુંદર કારીગરીનાં દર્શન આ દેરાસરમાં થાય છે.
દોલતનો ખાંચો ચુનારાનો ખાંચો-શાહપુર
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ-વિમલનાથ (સં. ૧૯૨૨) આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૧૯૨૨માં થઈ હતી. આ દેરાસરની જોડાજોડ મૂળનાયક વિમલનાથજીનું દેરાસર પણ આવેલું છે.
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથજીનાં પ્રતિમાની ઊંચાઈ ૧૧ ઇંચ છે. દેરાસરમાં એક ગુરુ મૂર્તિ પણ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કનકસૂરીશ્વરજી મહારાજની આ પ્રતિમા છે.
સં. ૧૯૬૨માં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં આ દેરાસર ઘુમ્મટબંધ દર્શાવેલ છે અને બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બંધાયાની સાલ સં. ૧૯૫૨ દર્શાવવામાં આવી છે. આ સંદર્ભમાં આ દેરાસરનો સમય સં. ૧૯૨૨ કે સં. ૧૯૫ર તે અંગે વધુ ચકાસણી કરવાની જરૂર છે. મૂળનાયકની પ્રતિષ્ઠાના લેખનો સંવત અને દેરાસર બંધાવ્યાનું વર્ષ ક્યારેક જુદું જુદું પણ હોય છે.
સં. ૧૯૬રમાં ચુનારાના ખાંચામાં શ્રી ચંદ્રપ્રભુના દેરાસરનો ઉલ્લેખ પણ થયેલો છે. અને બંધાવનાર તરીકે શ્રી નાહલચંદ અમરચંદનો ઉલ્લેખ થયેલો છે. અને બંધાયાની સાલ સં. ૧૯૫૨ દર્શાવવામાં આવી છે. ચંદ્રપ્રભુના આ દેરાસરનો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં થયો નથી. સંભવ છે કે સં. ૧૯૬૨માં એક જ જિનપ્રાસાદમાં બે મૂળનાયક ભગવાન હોય અને એટલે બે અલગ-અલગ દેરાસરો તરીકે તે સમયે ગણના કરવામાં આવી હોય.
સં૨૦૦૯માં શ્રી પાર્શ્વનાથજીના આ દેરાસરનો વહીવટ નકરચંદ ફતેહચંદ નામના શ્રાવક કરતા હતા. દેરાસરની બાજુમાં વિમલનાથ ભગવાનનું દેરાસર છે. આ દેરાસરની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org