SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૬૩ સ્થાનિક કથા પ્રમાણે મૂળ આ દેરાસર લાકડાનું હતું. સં. ૨૦૧૭માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો હતો. તે સમયે દેરાસરમાં ભોંયરું હતું. અને ભોંયરામાંથી મળેલી પ્રતિમાઓ ખંભાતના અખાતમાં પધરાવી દેવામાં આવી હતી. સં. ૨૦૧૭માં તે સમયે જીર્ણોદ્ધારનો ખર્ચ આશરે એક લાખ પંચોતેર હજાર રૂપિયા થયાનું મનાય છે. શાંતિનાથ ભગવાનની પ્રતિમાની ઊંચાઈ આશરે ૧૫ ઇંચ છે. કાકાબળિયાની પોળ સુવિધિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) કાકા બળિયાની પોળના સુવિધિનાથ ભગવાનના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે. “પોલ માંડવી તે માટે પોલાં ઘણી કાકાબલિયાની સુવિધિ તણી પ્રતિમા સુણી હરકિશનાજી પોલ શેઠની અતિ ભલિ પર ઉપગારીજી શાંતિ નિરખો રંગરલી.” - સં. ૧૯૬રમાં કાકાબળિયાની પોળના શ્રી સુવિધિનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. ઉપરાંત, એ સમયે આ દેરાસરમાં પગલાંની ચાર જોડ હતી. તેવો ઉલ્લેખ પણ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં (૧૯૬રમાં) થયેલો છે. સં. ૧૯૬૨માં દેરાસરની સ્થિતિ સારી જણાતી હતી. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થસર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ 'દેરાસર તરીકે થયેલો છે. શ્રી સંઘે આ દેરાસર બંધાવ્યાનો અને તે સમયે શેઠ હીરાલાલ ઉમેદરામના નામનો વહીવટદાર તરીકે ઉલ્લેખ થયેલો છે. ઉપરાંત, મેડા ઉપર એક પ્રતિમાનો ઉલ્લેખ થયેલો છે. આજે આ દેરાસર બે માળવાળું ઘુમ્મટબંધી સંયુક્ત દેરાસર છે. મેડા ઉપર સુપાર્શ્વનાથનું દેરાસર છે. મૂળનાયક શ્રી સુવિધિનાથજીની પ્રતિમા પદ્માસનસ્થ છે અને તેની ઊંચાઈ આશરે ૧૯ ઇંચ છે. મેડા ઉપર બિરાજમાન શ્રી સુપાર્શ્વનાથની પ્રતિમા પરિકર સહિત છે અને તેની ઊંચાઈ ૨૧ ઇંચ છે. આજે વીસ વિહરમાનજીની ચરણપાદુકા પણ વિદ્યમાન છે. આ દેરાસરની સંભાળ ખૂબ જ કાળજીપૂર્વક રાખવામાં આવે છે. દેરાસરના સ્થાપત્યની વારંવાર યોગ્ય માવજત થતી રહે છે. તેની કોતરણી ખૂબ જ સુંદર છે. તેનો જીર્ણોદ્ધાર સં. ૧૯૫૭માં થયેલો છે. તે સમયે મેડા ઉપરના શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત થઈ હશે તેવો સંભવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy