________________
૬૨
રાજનગરનાં જિનાલયો પાલડી વિસ્તારમાં આવેલી લાવણ્ય સોસાયટીના દેરાસરમાં પણ સમેતશિખરના પહાડની રચના કરવામાં આવી છે.
સં. ૧૮૨૧માં સમેત શિખરના લાકડાના પહાડની રચનાનો ઉલ્લેખ મળે છે. શાહ આણંદ લાલચંદ નામના શ્રાવકે આ સુંદર કલા-કારીગરીવાળા કાષ્ટના પહાડનું મોડલ-પ્રતિરૂપ બનાવ્યું. તે મુજબની વિગત જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસમાં પ્રાપ્ત થાય છે. સં. ૧૮૨૧માં રચાયેલી અમદાવાદની આ ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓ આવે છે.
“સાહ આનંદ લાલચંદનો નિજ પરને ઉપગાર શ્રી સંમેત તીર્થ તણો પ્રતિરૂપ કરાવે સાર // ટૂંક તોરણને કારણી કહેતા નાવે પાર કૈલાસ નગ સરીખો બન્યો ધન એહનો અવતાર છે વસઈ ટુકઈ જિન તણાં દર્શન સુખકાર
સકલ સંઘ તે ભેટિને કીધો સફલ અવતાર છે” આ ઉલ્લેખ જોતાં સં૧૮૬૩માં રૂપવિજય મહારાજ સાહેબે આ દેરાસરની પુન:પ્રતિષ્ઠા કરી હોવી જોઈએ. અને આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાનું હોવાનો સંભવ વિશેષ છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
હરકિશનદાસ શેઠની પોળ ,
શાંતિનાથ (સં. ૧૯૧૨ પહેલાં) શ્રી હરકિસનદાસ શેઠની પોળનાં શાંતિનાથ ભગવાનના આ દેરાસરનો ઉલ્લેખ સં ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં મળે છે. “પોલ માંડવી તે માટે પોલાં ઘણી કાકાબલિયાની સુવિધિ તણી
પ્રતિમા સુણી હરકિશનાજી પોલ શેઠની અતિ ભલિ પર ઉપગારજી શાંતિ
નિરખો રંગરલી.” સં. ૧૯૬રમાં પ્રસિદ્ધ થયેલ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં શાંતિનાથજીના આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘનો ઉલ્લેખ થયો છે. અને તે સમયે પગલાંની બે જોડ હતી તેવો પણ ઉલ્લેખ થયેલ છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધ દેરાસર તરીકે થયેલો છે. બંધાવનાર તરીકે શ્રી સંઘના નામનો અને વહીવટદાર તરીકે શ્રી ભલાભાઈ મગનભાઈના નામનો ઉલ્લેખ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org