________________
રાજનગરનાં જિનાલયો
૫૫
દહીંની ખડકી
વિમલનાથ (સં. ૧૯૧૨ પહેલાં) આજે પ્રચલિત માણેકચોક વિસ્તારમાં ઘાંચીની પોળની સામે આવેલી દહીંની ખડકીનું વિમલનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“તિર્થ સ્વામી વિ(મોલ નામી દાઈની ખડકી સદા
પોલ ઘાંચિ નાથ સંભવ સાથ દાયક શિવ મુદા !” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ શ્વેતાંબરમૂર્તિપૂજક જૈન કૉન્ફરન્સની ડિરેક્ટરીમાં સંજોગોવશાત્ શરતચૂકથી આ દેરાસરનો ઉલ્લેખ થવા પામ્યો નથી.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈનતીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તેમાં દહીંની ખડકીનો ઉલ્લેખ “ડાહીની ખડકી” તરીકે છે. દેરાસરમાં ગૌતમસ્વામીની એક મૂર્તિનો ઉલ્લેખ છે. અને વહીવટદાર તરીકે શ્રી ભીખાભાઈ વાડીલાલનું નામ આપ્યું છે.
અગાઉ આ દેરાસર લાકડાનું હતું. સં. ૧૯૯૮માં આ દેરાસરનો જીર્ણોદ્ધાર થયો. વૈશાખ સુદ સાતમને દિવસે પરમ પૂજ્ય આચાર્ય શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ)ની નિશ્રામાં દેરાસરની પુનઃસ્થાપના થઈ હતી.
ઘાંચીની પોળ સંભવનાથ ભગવાન-શાંતિનાથ ભગવાન (સં. ૧૬૬૨ પહેલાં). ઘાંચીની પોળનું આ દેરાસર બે માળવાળું અને ઘુમ્મટબંધી છે.
“જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં થયેલા ઉલ્લેખ પ્રમાણે મૂળ નાયક ઉપર સં. ૧૩૯૩નો ઉલ્લેખ છે.
લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં એટલે કે સં. ૧૬૬૨માં ઘાંચીની પોળના દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે.
ઘાંચીની પોલિમાં શાંતિ ઉગણચ્ચાલીસ બિંબ એકાંતિ ભૂઅરઈ આદિજિન મૂરતિ દસ પ્રતિમા ભલ સૂરતિ .”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org