SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ખીજડા શેરી-ઢાળની પોળ મુનિસુવ્રત સ્વામી (સં. ૧૯૧૨ પહેલાં) ઢાળની પોળમાં આવેલી ખીજડા શેરીમાં મુનિસુવ્રત સ્વામીનું દેરાસર શિખરબંધી છે. સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “ઢાલની પોલ વંદના મુનિ સુવ્રત મહારાય તુમ પદ વંદન ભવિ લહે તીર્થંકર પદ પ્રાય !” સં. ૧૯૬૨માં જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાવાળા દેરાસર તરીકે થયો હતો અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. સં. ૧૯૭૯માં ઉલ્લેખ થયા પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૧ને દિવસે આવતી હતી. ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર થયો છે. સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરનો ઉલ્લેખ શિખરબંધ દેરાસર તરીકે થયેલો છે. જો કે ઢાળની પોળ-ખારાકૂવાની પોળમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે આ દેરાસરના વહીવટદાર તરીકે શેઠ સારાભાઈ હરીલાલના નામનો ઉલ્લેખ છે. આજે આ દેરાસર આરસનું શિખરબંધી દેરાસર છે અને તેની વર્ષગાંઠ માગશર સુદ છઠને દિવસે આવે છે. મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાની પરિકર સહિત ઊંચાઈ ૧૫ ઇંચની છે. ટૂંકમાં, આ દેરાસર સં૧૯૧૨ પહેલાનું હોવાનો સંભવ છે. ધનપીપળીની ખડકી વાસુપૂજ્ય (સં. ૧૯૧૨ પહેલાં) ધનપીપળીની પોળમાં ચંદ્રપ્રભુના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં થયેલો છે જે નીચે મુજબ છે : “ચંદ્ર કિરણ સમ શોભતો ચંદ્રપ્રભુ જસ નામ ધનપિપલ પોલે સદા અતિ ઉત્તમ જિન ધામ ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy