________________
રાજનગરનાં જિનાલયો ખીજડા શેરી-ઢાળની પોળ
મુનિસુવ્રત સ્વામી (સં. ૧૯૧૨ પહેલાં) ઢાળની પોળમાં આવેલી ખીજડા શેરીમાં મુનિસુવ્રત સ્વામીનું દેરાસર શિખરબંધી છે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે.
“ઢાલની પોલ વંદના મુનિ સુવ્રત મહારાય
તુમ પદ વંદન ભવિ લહે તીર્થંકર પદ પ્રાય !” સં. ૧૯૬૨માં જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાવાળા દેરાસર તરીકે થયો હતો અને શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે.
સં. ૧૯૭૯માં ઉલ્લેખ થયા પ્રમાણે આ દેરાસરની વર્ષગાંઠ શ્રાવણ વદ-૧ને દિવસે આવતી હતી. ત્યારબાદ તેનો જીર્ણોદ્ધાર થયો છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ” માં આ દેરાસરનો ઉલ્લેખ શિખરબંધ દેરાસર તરીકે થયેલો છે. જો કે ઢાળની પોળ-ખારાકૂવાની પોળમાં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે આ દેરાસરના વહીવટદાર તરીકે શેઠ સારાભાઈ હરીલાલના નામનો ઉલ્લેખ છે.
આજે આ દેરાસર આરસનું શિખરબંધી દેરાસર છે અને તેની વર્ષગાંઠ માગશર સુદ છઠને દિવસે આવે છે.
મુનિસુવ્રત સ્વામીની પ્રતિમાની પરિકર સહિત ઊંચાઈ ૧૫ ઇંચની છે. ટૂંકમાં, આ દેરાસર સં૧૯૧૨ પહેલાનું હોવાનો સંભવ છે.
ધનપીપળીની ખડકી
વાસુપૂજ્ય (સં. ૧૯૧૨ પહેલાં) ધનપીપળીની પોળમાં ચંદ્રપ્રભુના દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૧૨માં થયેલો છે જે નીચે મુજબ છે :
“ચંદ્ર કિરણ સમ શોભતો ચંદ્રપ્રભુ જસ નામ ધનપિપલ પોલે સદા અતિ ઉત્તમ જિન ધામ ”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org