________________
૪૮
રાજનગરનાં જિનાલયો તે વખતે પૂજ્યશ્રીની સપ્રેરણાથી શેઠે સામા પક્ષવાળાઓને મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે અઠ્ઠાઈમહોત્સવ, પ્રતિષ્ઠા અને નવકારશીમાં પધારવાનું ભાવભર્યું આમંત્રણ આપ્યું.
પૂજ્ય શાસન સમ્રાટશ્રીના અદ્ભુત કૌશલ્યથી શ્રી સંઘ અને દશા શ્રીમાળી જ્ઞાતિ ઉપરથી વિખવાદનાં વાદળ વિખરાયાં. તથા શાંતિ અને સંપનું વાતાવરણ જામવા માંડ્યું.
ત્યારપછી શુભમુહૂર્ત-પ્રતિષ્ઠા તથા અઢાઈમહોત્સવનો આરંભ ખૂબ ઉલ્લાસપૂર્વક થયો. તેમાં નવગ્રહાદિ પૂજન અંબાલાલભાઈ શેઠ પોતે કરવા બેઠેલા. અમદાવાદના શ્રીસંઘમાં આ વિખવાદને લીધે બે વર્ષથી નવકારશી વગેરે કેટલાંક વિશિષ્ટ ધર્મકાર્યો બંધ પડ્યાં હતાં. તે ફરી શરૂ થયાં. આમ, કામેશ્વરની પોળના આ દેરાસરની પુનઃપ્રતિષ્ઠા શાસનસમ્રાટ આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજીના હસ્તે સં. ૧૯૬૮માં થઈ. તે પ્રસંગ રાજનગરના જૈન સંઘ માટે અનેક દષ્ટિએ મહત્ત્વનો અને નોંધપાત્ર બની રહ્યો.
દેરાસરની બાજુમાં એક નાનું શિખરવાળું ગુરુમંદિર છે, જેમાં આચાર્યશ્રી શુભવિજયજી મહારાજસાહેબનાં મુખ્ય પગલાં છે. દેરાસરમાં પાષાણની પ્રતિમાજીઓનો ઘણો મોટો પરિવાર છે. ઉપરાંત, ધાતુના સ્થાયી જડેલાં નાનાં ૩૫ પ્રતિમાજીઓ છે. તથા ધાતુનાં કેટલાંક છૂટાં પ્રતિમાજીઓ પણ બિરાજમાન છે. ધાતુનાં આ પ્રતિમાજીઓ ઘણા પ્રાચીન છે.
વાઘેશ્વરની પોળ
આદિનાથ (સં. ૧૮૨૧ પહેલાં) રાયપુર-વાઘેશ્વરની પોળમાં આદિનાથ ભગવાનનું દેરાસર ઘુમ્મટબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં૧૮૨૧માં રચાયેલી અમદાવાદની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે :
“કામેસર વાઘેસરી ખેત્રપાલ રુપચંદ
પોલ એકેક વખાણિઈ ભેટતા ગયા ભવ ફંદ છે” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ જૈન ડિરેક્ટરીમાં આ દેરાસરનો ઉલ્લેખ ઘુમ્મટબંધ દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર કેટલાં વર્ષ જૂનું હતું, તેની વિગતોનો ઉલ્લેખ થયો નથી. જો કે દેરાસર બંધાવનારનું નામ-સાકરશા-શેઠ મગનભાઈ કરમચંદના ભાઈના નામનો ઉલ્લેખ થયો છે. સંભવ છે કે તેઓએ આ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હશે.
સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્યપરિપાટીમાં આ દેરાસરનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયેલો છે.
“કામેશ્વર પોલ નિહાલિ જિન સંભવનાથ સંભાલિ વાગે સ્વરિ પોલ વિખ્યાત આદીશ્વર ત્રિભુવન તાત !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org