SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૪૭. દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને ત્યારબાદ “પાટક ઈશ્વર” નામના વિસ્તારનો ઉલ્લેખ થયો છે, જેમાં મહાવીર સ્વામી ભ, આદિનાથ ભટ તથા શાંતિનાથ ભ૦ ના દેરાસરનો ઉલ્લેખ થયો છે. મહાવીરસ્વામીના દેરાસરને ભોંયરું પણ હતું, તેવો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે. તે અંગે લલિતસાગર મહારાજે નીચે મુજબની પંક્તિઓમાં નોંધ કરી છે. પાટકિં ઈશ્વરિ વીર રે એકશત અગીઆર ધીર મુંઅરઈ સાત બિંબિ ભાસીય માંડવીર નવાસીય ” જે ભૌગોલિક ક્રમમાં ઘાંચીની પોળ, ત્યારબાદ રૂપાસુરચંદની પોળ, ત્યારબાદ શામળાની પોળનો ઉલ્લેખ પરિપાટીમાં આવે છે, તે જ ક્રમમાં પાટક ઈશ્વરનો ઉલ્લેખ કામેશ્વરની પોળ માટે કરાયો હોય તેવી સંભાવના વિશેષ છે. એ દૃષ્ટિએ કામેશ્વરની પોળનું આ દેરાસર સં. ૧૯૬૨ પહેલાં બંધાયું હોવાની શક્યતા વધારે છે અને તેનો જીર્ણોદ્ધાર ઘણી વાર થયો હોય તેવો સંભવ છે. સં. ૧૯૨૬માં સંભવનાથની પ્રતિમા પ્રેમાપુરમાંથી ખસેડીને કામેશ્વરની પોળના આ દેરાસરમાં લાવવામાં આવી. ત્યારબાદ આ દેરાસર સંભવનાથના દેરાસર તરીકે જાણીતું થયું હશે. ત્યારબાદ મગનલાલ કરમચંદ શેઠના વંશજ શેઠ અંબાલાલ સારાભાઈએ આ દેરાસરનો સં. ૧૯૬૮માં જીર્ણોદ્ધાર કરાવ્યો અને તે પ્રસંગે મોટો મહોત્સવ પણ કરવામાં આવ્યો. શેઠ મગનભાઈ કરમચંદ આખી દશા શ્રીમાળી જ્ઞાતિના બારસો ઘરના શેઠ હતા. શાસન સમ્રાટ આચાર્ય નેમિસૂરીશ્વરજી મહારાજે સં. ૧૯૬૭-૬૮માં અમદાવાદમાં સ્થિરતા કરી હતી. તે સમયે એક નજીવી બાબતને મોટા ઝઘડાનું સ્વરૂપ આપીને અંબાલાલ જેવી વ્યક્તિને સંઘ બહાર મૂકવાની હિલચાલ શરૂ થઈ હતી. ખૂબ જ કુનેહપૂર્વક તે સમયે પૂજ્ય શાસન સમ્રાટશ્રીએ આ પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો. દરમ્યાનમાં કામેશ્વરની પોળમાં શ્રી અંબાલાલ સારાભાઈના પૂર્વજ મગનભાઈ કરમચંદે જે દેરાસરનો જીર્ણોદ્ધાર કર્યો હતો, તેનો ફરી એક વાર જીર્ણોદ્ધાર કરીને તેની પ્રતિષ્ઠા પૂજ્ય શાસનસમ્રાટના હસ્તે થાય તેવી શેઠ અંબાલાલભાઈની ભાવના હતી. દેરાસરની પ્રતિષ્ઠા બહુ જ ધામધૂમથી અને ઉલ્લાસભાવે કરાવવાની ભાવના હતી. તે પ્રસંગે તેમણે સુંદર કુમકુમ પત્રિકા છપાવી અને નગરશેઠ વગેરેની સલાહથી, આખા અમદાવાદ શહેરની નવકારશી થાય તેવી આશા વ્યક્ત કરી. જે બે પક્ષ પડી ગયા હતા, તેમાં સમાધાન માટે પૂજ્ય શાસન સમ્રાટશ્રીએ લખાણ તૈયાર કરાવ્યું અને પ્રથમ શેઠશ્રી અંબાલાલભાઈને વાંચવા આપ્યું. ત્યારે અંબાલાલે કહ્યું સાહેબ ! મારે એ લખાણ કાંઈ વાંચવું નથી. હું તો આપશ્રી ફરમાવો એટલે સહી કરી આપું. આપ જે કરશો તે અમારા અને જ્ઞાતિના હિતને માટે જ હશે.” આ પછી તે લખાણ પૂજ્યશ્રીની સપ્રેરણાથી સામા પક્ષવાળાને વાંચવા આપ્યું. તેમણે પણ તે સહર્ષ માન્ય રાખ્યું. બંને પક્ષોએ સહી કરી અને પૂજ્યશ્રીની સમક્ષ પરસ્પર “મિચ્છામી દુક્કડમ” દેવડાવ્યાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy