SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ રાજનગરનાં જિનાલયો ૪૦૦ વર્ષ પહેલાં ઉસ્માનપુરામાં આવેલું શાંતિનાથજીનું ભવ્ય જિનાલય ભલે આજે નષ્ટ થઈ ગયું હોય પણ તે વિસ્તારમાં આજે ઘણાં જૈન મંદિરોની ધજા-પતાકા લહેરાઈ રહી છે. એ જ પ્રમાણે આજનો નવરંગપુરાનો વિસ્તાર જે અગાઉ ખાનપુર-શેખપુરના નામથી ઓળખાતો હતો, ત્યાં પણ ૪૦૦ વર્ષ અગાઉ જિનાલય હતું. ઉપરાંત, માદલપુર અને કોચરબ વિસ્તારમાં પણ જિનાલય હતાં. તે જિનાલયો નાશ પામ્યાં પરંતુ આજે તે વિસ્તારોમાં જ તથા તેની નજીકના પાલડી વિસ્તારમાં સંખ્યાબંધ જૈન દેરાસરો અસ્તિત્વમાં આવ્યાં છે. ઉપરાંત, સેટેલાઈટ રોડ, ડ્રાઈવ-ઇન રોડ અને ગાંધીનગર-સરખેજ હાઈવેની ઉપર બંને બાજુએ શહેરનો આજનો વિકાસ શરૂ થઈ ચૂક્યો છે. આ વિકાસ ગાંધીનગર-સરખેજહાઈવેની સામેની બાજુએથી આરંભાઈને એક બાજુ ઓગણજ અને શેરીસા તીર્થ સુધી અને બીજી બાજુએ બોપલ, ગોધાવી અને સાણંદ સુધી ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે. સાબરમતી નદીના કિનારે કોટ વિસ્તારમાં આવેલા અમદાવાદનો પૂર્વ દિશાનો વિસ્તાર ધીમે ધીમે વિકાસની દિશામાં આજે શહેરનો કોટ વિસ્તાર પણ ભેદીને પશ્ચિમ વિસ્તાર તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યો છે. આમ અમદાવાદ શહેરે તેની Integrity અને Identity (સુગ્રથિતતા અને વ્યક્તિતા) જાણે કે ગુમાવવા માંડી છે. એક સમય એવો હતો કે પ્રસંગે પ્રસંગે સમગ્ર જૈન સમાજ ભેગો થઈ ઊજવણીમાં ભાગ લેતો હતો. શહેરના રિલીફ રોડ ઉપર આવેલી પાંજરાપોળમાં પંચ કલ્યાણકનો વરઘોડો હોય ત્યારે, કે માંડવીની પોળમાં આવેલી સમેતશિખરની પોળમાં સંવત્સરીના પર્વનો દિવસ હોય ત્યારે, કે મહાવીર જન્મનો દિવસ હોય ત્યારે પતાસાની પોળ સહિત ઝવેરીવાડ દોશીવાડાની પોળનાં પાંચ મહાવીરનાં દર્શન કરવાં, બેસતુ વર્ષ હોય ત્યારે હઠીસિંહના દેરાસરમાં, ભાઈબીજ હોય ત્યારે જમાલપુર ટોકરશાના મંદિરમાં, કારતક સુદ ચોથ હોય ત્યારે દાદા સાહેબના પગલાં પાસે કે કાર્તિકી પૂનમ હોય ત્યારે જમાલપુર દરવાજા બહાર આવેલા આણંદજી-કલ્યાણજીના બ્લોકમાં પટના દર્શન માટે જૈનમ્ જયતિ શાસન”નો નાદ ગુંજતો હતો, જૈન વસ્તીનો માનવ મહેરામણ જાણે કે ધસમસતા પૂરની માફક લહેરાતો હતો. આજે ખૂબ જ મોટા વિસ્તારોમાં જૈન કુટુંબોની વસ્તી ફેલાઈ હોવાના કારણે દૂરના અંતરની સમસ્યા વિકટ બની છે. આજે માનવમહેરામણ ધરણીધરના દેરાસર પાસે-બેસતા મહિનાના દિવસે કે પૂનમના દિવસે ઉમટેલો જોવા મળે છે પરંતુ તે તો રાજનગરના ભવ્ય ભૂતકાળની એક ઝાંખી માત્ર છે. સં. ૧૯૬૩માં પાંચમી જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ બાદ રાજનગરમાં જૈનધર્મના અનેક ઉત્સવો ઊજવાયા છે. દેરાસરોની પ્રતિષ્ઠાનો ઉત્સવ હોય, પર્યુષણ પર્વ દરમ્યાન અઠ્ઠાઈના પારણાનો ઉત્સવ હોય, ઉપધાનતપની આરાધનાના પ્રસંગો હોય, કે દીક્ષાનો ઉત્સવ હોય-આવા અનેક ઉત્સવો અને પર્વો રાજનગરમાં જૈન શાસનનો ડંકો વગાડતા જ રહ્યા છે. પરંતુ તેમાં પણ કેટલીક ઘટનાઓ સીમાચિહ્ન રૂપ બની છે. એમ કહેવાય છે કે રીચી રોડ ઉપરના વધતા જતા વાહનવ્યવહારનું દબાણ ઓછું થાય તે માટે લાલદરવાજાથી સ્ટેશન સુધીનો બીજો એક સમાન્તર રોડ બનાવવામાં આવ્યો જે આજે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy