________________
૨૧૦
રાજનગરનાં જિનાલયો
બિરદાવ્યા.
સરકારી અંગ્રેજી સ્કૂલની અંતિમ પરીક્ષા એ વખતે મુંબઈ લેવાતી ત્યારે મુંબઈ અમદાવાદ વચ્ચે રેલવે વ્યવહાર નહિ. ગાડાં અને હાડકાંનો મુશ્કેલીભર્યો પ્રવાસ ખેડી મુંબઈ પહોંચવાનું રહેતું. આ પરીક્ષા પણ શ્રી મગનલાલે પ્રથમ નંબરે પાસ કરી. મૅટ્રિકની એ પહેલી જ પરીક્ષા, એમાં અમદાવાદના બે વિદ્યાર્થી ઉત્તીર્ણ, એમાંના એક શ્રી મગનલાલ વખતચંદ શેઠ.
શ્રી મગનલાલે ગુજરાત વર્ના સોસાયટીમાં વિવિધ કક્ષાઓમાં ત્રણ વર્ષ સુધી સેવા આપી. તેઓ ઉત્તમ ભાષાંતરકાર હતા. એમના અક્ષર ઘણા સુંદર હતા. ગુજરાત વર્ના સોસાયટી તરફથી શ્રી મગનલાલે “બુદ્ધિપ્રકાશ' માસિકનું સંપાદન કર્યું હતું. ઈ. સ. ૧૮૪૯માં (સં. ૧૯૦૫) શ્રી મગનલાલે લખેલી કથનાવલી”માં સાતસો કહેવતોનો સંગ્રહ થયો. પાછળથી કવિ શ્રી દલપતરામે સુધારા-વધારા સાથે એની બીજી આવૃત્તિ પ્રકટ કરેલી. “અમદાવાદનો ઇતિહાસ” લખ્યો તે બદલ ગુજરાત વર્ના સોસાયટીએ પોતાનું ઈ. સ. ૧૮૫૦નું રૂા. પ000 = અંકે રૂપિયા પચાસ રૂપિયાનું પારિતોષિક આપ્યું. એટલું જ નહીં, પણ એ પુસ્તક એ જ સાલમાં (સન ૧૮૫૦)માં શીલા છાપમાં છપાવી પ્રગટ કર્યું.
મગનલાલને તે સમયના રાવસાહેબ શ્રી ભોગીલાલ પ્રાણવલ્લભદાસની રાહબરી નીચે ગુજરાતી શાળાઓ માટે ગુજરાતનો ઇતિહાસ તૈયાર કરવાનું કામ સોંપ્યું હતું. એ કામ પણ શ્રી મગનલાલે કુશળતાથી પાર પાડ્યું. એ બદલ એમને સરકાર તરફથી રૂ. ૨૦૦/૦૦ = અંકે બસો રૂપિયાનો પુરસ્કાર આપવામાં આવ્યો. એ પુસ્તક પણ સરકાર તરફથી પ્રકટ કરવામાં આવ્યું.
ઈ. સ. ૧૮૫૧ની સાલમાં (સં. ૧૯૦૭) શ્રી હરકુંવર શેઠાણીએ સૌરાષ્ટ્રના પ્રવાસ માટે એક સંઘ કાઢ્યો ત્યારે શ્રી મગનલાલને પણ સાથે લેવામાં આવ્યા. આ સોરઠની ઊભી યાત્રા તા. ર૭મી ડિસેમ્બર, ૧૮૫૧ના રોજ અમદાવાદથી ઊપડેલી. આનો વિગતવાર હેવાલ લખવાનું કાર્ય શ્રી મગનલાલને સોંપવામાં આવેલું. સંઘનો બીજો વહીવટ પણ એમણે સંભાળેલો. રક્ષણ માટે લખાવટ કરી વ્યવસ્થા કરી, હથિયારો અને ચોકિયાતોને સાથે રાખેલા, એની પરમિટો પણ મેળવેલી. આ હેવાલ શ્રી મગનલાલે વિગતવાર નોંધ કરી લખેલો છે. શિલાછાપમાં છપાયેલો પણ છે.
એ ઉપરાંત, મશહૂર જૈનાચાર્ય શ્રી વીરવિજયજીનું સંપૂર્ણ જીવનચરિત્ર પણ એમણે લખી પ્રસિદ્ધ કર્યું હતું. એ દ્વારા વિક્રમની ૧૯મી સદીના પૂર્વાર્ધના જૈન જીવનનો સંપૂર્ણ ખ્યાલ આવે છે. ( શ્રી મગનભાઈ વખતચંદ શેઠે અંગ્રેજ જનરલ ગોડાર્ડના વિજયપ્રસંગ અંગે એક રાસડો પણ રચ્યો હતો જે એ સમયમાં ખૂબ લોકપ્રિય થયો હતો.
ઈ. સ. ૧૮૫૭માં (સં ૧૯૧૩) અમદાવાદ મ્યુનિસિપાલિટીએ શ્રી મગનલાલને સેક્રેટરી " તરીકે ચૂંટ્યા. તે સમયે માસિક રૂપિયા ૧૨૫/૦૦ = નો પગાર હતો. ઈ. સ. ૧૮૬૨માં | (સં. ૧૯૧૮) અમદાવાદ મ્યુનિસિપાલિટીમાંથી રાજીનામું આપી ધી બોમ્બે બેંકમાં જોડાયા. તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org