________________
રાજનગરનાં જિનાલયો
૨૦૯ આ ગ્રંથમાં, જૈન શ્રેષ્ઠીઓની નોંધ મૂકવામાં આવી છે તે પરંપરામાં મગનભાઈ વખતચંદનું સ્થાન હોઈ શકે નહીં. તેમ છતાં, સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. કારણ કે તેમનું સૌથી મુખ્ય પ્રદાન “અમદાવાદનો ઈતિહાસ' નામનો ગ્રંથ તેમણે અમદાવાદની પ્રજાને જ માત્ર નહીં, પરંતુ ગુજરાતની પ્રજાને ચરણે અર્પણ કર્યો છે. પ્રસ્તુત ઈતિહાસના ગ્રંથમાં ખાસ તો અમદાવાદની તે સમય (ઈ. સ. ૧૮૫૦) દરમ્યાનની પોળો-લત્તાઓ-વિસ્તારોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. જેમાં જે તે પોળોમાં આવેલ જૈન દેરાસરોની સંખ્યાનો ઉલ્લેખ તેમણે ખાસ કર્યો છે, જેના કારણે પ્રસ્તુત ગ્રંથમાં “અમદાવાદનો ઇતિહાસ' ગ્રંથનો સંદર્ભ વારંવાર આવે છે. ઉપરાંત, બાદશાહી સલ્તનતનો સમય, મુગલ સલ્તનતનો સમય, મરાઠા સત્તાનો સમય અને અંગ્રેજ રાજ્યસત્તાનો પ્રારંભ કાળનો સમય તેમના ગ્રંથમાં ઐતિહાસિક દૃષ્ટિએ મૂલવવામાં આવ્યો છે. આ વિવિધ સમયગાળા દરમ્યાન અમદાવાદના જૈન પરંપરાના ઇતિહાસમાં કેવી કેવી અનુકૂળ-પ્રતિકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ તેનું ઉત્તમોત્તમ દિશાસૂચન પ્રાપ્ત થાય છે અને તે કારણે જ આ ગ્રંથના સંપાદકો એક ઋણ સ્વીકાર તરીકે પણ શેઠશ્રી મગનભાઈ વખતચંદનો આ ગ્રંથમાં ખાસ ઉલ્લેખ કરવા પ્રેરાયા છે. ' તેઓ અમદાવાદના એક અનોખા જ્યોતિર્ધર હતા. ગુજરાત વિધાનસભાના પ્રથમ સહાયકમંત્રી તરીકે તેમણે સેવાઓ આપી છે. ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના ૧૮૪૮માં થઈ હતી. તે સમયે સોસાયટીની વ્યવસ્થાપક સમિતિના બધા જ સભ્યો અંગ્રેજો હતા. શ્રી ઍલેકઝાંડર કિન્લોક ફૉર્બ્સ એના પ્રથમ સ્થાપક અને માનાર્હ મંત્રી હતા. ઈ. સ. ૧૮૫૦માં ફૉર્બસાહેબની સુરત બદલી થઈ. ત્યારબાદ શ્રી જ્યોર્જ મોન્ટેગ્યુ સીવર્ડ મંત્રી થયા. શ્રી મગનભાઈ વખતચંદ સૌ પ્રથમ ગુજરાતી હતા કે જેણે ગુજરાત વર્ના સોસાયટીમાં સ્થાન પ્રાપ્ત કર્યું હોય.
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા સંચાલિત હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટની કામગીરી પાર પાડવામાં મગનલાલ વખતચંદ શેઠે મુખ્ય ભાગ ભજવ્યો હતો.
શેઠ હઠીસિંહનાં ધર્મપત્ની શ્રી હરકુંવર શેઠાણીએ અમદાવાદમાં વિદ્યાર્થિનીઓ માટે પ્રથમ ગુજરાતી શાળા ઊભી કરી, જેનું નામ “હરકુંવર શેઠાણી ગુજરાતી કન્યાશાળા” હતું. ઉપરાંત, “શ્રી મગનભાઈ કરમચંદ ગુજરાતી કન્યાશાળા' ઈ. સ. ૧૮૫૫ના અરસામાં સ્થપાઈ. બંનેનો વહીવટ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સંભાળતી. શ્રી મગનભાઈ વખતચંદ શેઠે આ બંને શાળાઓના સહમંત્રી તરીકે પણ સેવાઓ બજાવી છે.
શ્રી મગનભાઈનો પ્રાથમિક અભ્યાસ અમદાવાદ મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળામાં થયો હતો. સદભાગ્યે સરકારે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં સરકારી અંગ્રેજી શાળા શરૂ કરી. તે શાળાના સંચાલક શ્રી એલ. રીડ, (આઈ. સી. એસ.) ગુજરાતી શીખવતા હતા. શ્રી મગનલાલ તે શાળાના પહેલા જ વિદ્યાર્થી જૂથમાંના એક હતા. શ્રી રીડે એમને ગુજરાતી ભાષાના પોતાના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે બિરદાવ્યા. ત્યારબાદ તે શાળાના સંચાલકપદે શ્રી એ. ઈ. ફૉર્બ્સ આવ્યાં. એમણે પણ શ્રી મગનલાલને પોતાની ઇંગ્લિશ સ્કૂલના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે
રા-૨૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org