SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૨૧૧ સમયે તેમનો પગાર માસિક રૂ. ૨૫000 = હતો. ત્યારપછી અમદાવાદમાં “ધી રોયલ બેંક સ્થપાઈ. તેના એજન્ટ તરીકે શ્રી મગનલાલની નિમણૂક થઈ. તે સમયે એમનો પગાર માસિક રૂ. ૫0000 = અંકે પાંચસો રૂપિયા થયો હતો. એ જમાનામાં આટલી મોટી રકમનો પગાર મેળવવા ભાગ્યે જ કોઈ ગુજરાતી સભાગી બન્યો હશે. શ્રી મગનલાલે બે વર્ષ સુધી એ પદને શોભાવ્યું હતું. તેઓ ગુજરાતી ભાષામાં એટલા તો પ્રવીણ હતા કે એમના સંપર્કમાં આવતાં અંગ્રેજ આઈ. સી. એસ. અમલદારો પણ સામે ચાલી આવીને એમની પાસે ગુજરાતી શીખતા અને શ્રી મગનલાલને ખાસ પ્રમાણપત્ર આપી પોતાનો સંતોષ વ્યક્ત કરતા. તે સમય દરમ્યાન અમદાવાદમાં કૉલેજ શરૂ કરવાની પ્રવૃત્તિ સરકાર તરફથી હાથ ધરવામાં આવી. એનું ભંડોળ ઊભું કરવાના કાર્યમાં શ્રી મગનલાલે નોંધપાત્ર કામગીરી બજાવી હતી. અને ગ્રેચ્યુંઈટી તરીકે રૂા. ૨૦૦/૦૦ = ની રકમ ન સ્વીકારતાં એમણે ઉદાર ભાવે એ રકમ એ ભંડોળ ખાતે જ પાછી વાળેલી. શ્રી મગનભાઈનું લગ્ન સં૧૯૦૫માં (ઈ. સ. ૧૮૪૯માં) થયેલું. એમનાં પત્નીનું નામ શ્રીમતી રતનબહેન હતું. શ્રી રતનબહેનનું વતન ઉમતા નામનું ગામ (ખેરાલુ તાલુકો) હતું. તેમને બે પુત્રીઓ અને એક પુત્ર થયાં. પુત્રનું નામ શ્રી બાલાભાઈ ઉર્ફે અચરતલાલ. બાલાભાઈને ત્રણ પુત્રો : શ્રી હર્ષદરાય, શ્રી અરિમર્દન અને શ્રી નેમિકુમાર. શ્રી અરિમર્દનનું ૧૯૭૬માં અવસાન થયું. શ્રી નેમિકુમારનું ૧૯૭૩માં અવસાન થયું. નેમિકુમારનાં પુત્રી ડૉ. વિશાખા અમદાવાદના જાણીતાં ગાયનેકોલોજીસ્ટ છે. એમના પતિ ડૉ. લલિતચંદ્ર શાહ પણ અમદાવાદના જાણીતા ડૉકટર છે. શ્રી મગનભાઈ વખતચંદ શેઠ ૧૧ માર્ચ, ૧૮૬૮ના રોજ (સં. ૧૯૨૪) અવસાન પામ્યા: ૩૮ વર્ષની ટૂંકી જિંદગીમાં એમણે અમદાવાદનાં વિવિધક્ષેત્રે વિવિધલક્ષી સેવાઓ આપી છે. અમદાવાદની પાંચ પાંચ મશહૂર સંસ્થાઓના એ પાયાના પથ્થર બન્યા. શ્રી મગનલાલ વખતચંદ શેઠ એ સમયના જ્યોતિર્ધર હતા.ર૬ શેઠ લાલભાઈ દલપતભાઈ (સં. ૧૯૧૯) શેઠ લાલભાઈનો જન્મ ઈ. સ. ૧૮૬૩માં જુલાઈની ૨૫મી તારીખે થયો હતો. તેમનો જન્મ થયો ત્યારે પિતાની સ્થિતિ સાધારણ હતી. પરંતુ બે વર્ષમાં જ પિતા લક્ષાધિપતિ થયા. પિતા શેઠ દલપતભાઈએ શરાફ પેઢી દલપતભાઈ ભગુભાઈના નામથી ચલાવી હતી. શેઠ લાલભાઈ ઈસ. ૧૮૮૩માં મૅટ્રિક થયા. નગરશેઠ માયાભાઈ પ્રેમાભાઈના મરણ પછી નગરશેઠ ચીમનભાઈ નાના હોવાથી શેઠશ્રી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy