________________
૨૦૬
રાજનગરનાં જિનાલયો
પતાસાની પોળ સામેના મહાવીર સ્વામીના દેરાસરના ઢાળના રસ્તા ઉપર હરકુંવરબાઈની હવેલી આજે પણ તેમની સમૃદ્ધિનો ખ્યાલ આપતી ઊભી છે. કાષ્ટની શિલ્પકળાનો એ એક ઉત્તમ નમૂનો છે.
લાલા હરખચંદ
(સં. ૧૮૫૪ની આસપાસ) લાલા હરખચંદ (સં. ૧૮૫૪ની આસપાસ) એક ઉદાર ચરિત્ર જૈન શાહુકાર હતો. આજે ગાંધીરોડ ઉપર આવેલ ફતાસાની પોળમાં “લાલાનો ખાંચો' હયાત છે, તે લાલા હરખચંદના નામ સાથે જોડાયેલો છે.
મરાઠા સરદાર શેલકરે શહેરના લોકો પાસેથી આકરો વેરો લેવાનું નક્કી કર્યું હતું ત્યારે લાલા હરખચંદ શેલકરને એક લાખ રૂપિયા આપી એ વખતે શહેરના લોકો પાસેથી વેરો ન લેવા દીધો. તે સમયના એક લાખ રૂપિયા કેટલી મોટી રકમ કહેવાય તેવો અંદાજ પણ આવી શકે તેમ નથી !
શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે સંગૃહીત “જૈન રાસમાળામાં લાલા હરખચંદનો ઉલ્લેખ નીચે મુજબ કર્યો છે.
“ધર્મચંદ સુત તે ભલો, લાલા હરખચંદ નામ હો. સુ સિદ્ધગિરિ સંઘ ભલી પરે, રૂડાં કર્યાં ઘણાં કામ હો હરખચંદ લાલા
લાલા હરખચંદ શેખના પાડામાં આવેલું શીતલનાથ ભગવાનનું દેરાસર બંધાવ્યું હતું. તે મુજબનો ઉલ્લેખ “જૈન તીર્થ સર્વ સંગ્રહમાં (સં. ૨૦૧૦) કરવામાં આવ્યો છે. આ દેરાસર સં. ૧૮૨૧માં વિદ્યમાન હતું. અને લાલા હરખચંદનો સમય સં. ૧૮૫૪ આસપાસનો છે.૨૩ તેથી આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
મનસુખભાઈ ભગુભાઈ
(સં. ૧૯૧૧ થી સં. ૧૯૬૯) શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈનો જન્મ સં. ૧૯૧૧ના શ્રાવણ સુદ ૧૧ના રોજ અમદાવાદ શહેરમાં થયો હતો. તેઓ વિશા પોરવાડ જ્ઞાતિના હતા. તેમના પિતાની શરાફની પેઢી હતી. ખપ પૂરતો ગુજરાતી તથા અંગ્રેજી અભ્યાસ કર્યા બાદ મનસુખભાઈએ વેપારમાં મન પરોવ્યું હતું. શરૂઆતમાં તેમનો વિચાર એક વીમાકંપની ઊભી કરવાનો હતો. પરંતુ કેટલાક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org