________________
રાજનગરનાં જિનાલયો
શલાકા થઈ. મહા વદ-૧૧ને દિવસે પ્રતિમા પધરાવવામાં આવી. આ પ્રતિષ્ઠા મહોત્સવ થયો ત્યાં સુધીમાં આઠ લાખ રૂપિયાનું ખર્ચ થઈ ચૂક્યું હતું અને મંદિર પૂરું થયું ત્યારે કુલ બાર લાખ ખર્ચાયા હતા. આ પ્રતિષ્ઠા-મહોત્સવ એ અમદાવાદના ઇતિહાસનો એક ઉજ્જવળ પ્રસંગ છે.
હરકુંવર શેઠાણીએ આ ઉપરાંત ધર્મ, કેળવણી, આરોગ્ય અને સમાજહિતના ક્ષેત્રે અનેક કાર્યો કર્યા હતા. લાખો રૂપિયા આપી અનેક દેરાસરોનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમણે સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો તે સમયે શત્રુંજય ચડતાં હિંગળાજના હડાનું મુશ્કેલ ચડાણ ઘણાં લોકોને અગવડરૂપ બનતું જોઈ ઘણો મોટો ખર્ચ કરી પગથિયાં બંધાવ્યા અને અગવડ દૂર કરી.
૨૦૫
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ સ્થાપેલી કન્યાશાળાને શેઠાણી હરકુંવરબાઈએ તેના કાયમી નિર્વાહ અર્થે ઘણી મોટી રકમ સખાવતમાં આપી. ત્યારથી તે કન્યાશાળા શેઠાણી હરકુંવરબાઈ કન્યાશાળા' નામથી અસ્તિત્વમાં આવી હતી. ત્યારબાદ ઈ. સ. ૧૮૫૮માં તે નિશાળનું મકાન બાંધવા ટંકશાળમાં સરકારે જમીન આપી. હરકુંવરશેઠાણીએ એ નિશાળનું મકાન બાંધવા રૂા. ૩,૦૦૦|00 અને કાયમી નિર્વાહ માટે રૂ. ૧૨,૦૦૦/00= આપ્યા. કન્યાકેળવણી માટેની હરકુંવર શેઠાણીની આ જાગ્રતતા તેમની અનેકદેશીય પ્રતિભાનાં દર્શન કરાવે છે. શેઠાણી હરકુંવરબાઈને તેમનાં આવાં શુભ કાર્યો માટે નામદાર મુંબઈ સરકારે શાબાશી આપી અને “નેક નામદાર સખાવતી બહાદુરી” એવો માનભર્યો અને મોટો ઇલકાબ નવાજેશ કર્યો અને તે માટે એક જાહેરનામું બહાર પાડ્યું હતું.
શેઠ હઠીસિંહ કેસરીસિંહની ભાવના અમદાવાદમાં ગરીબ લોકોને માટે એક હૉસ્પિટલ શરૂ કરવાની હતી. તેમની એ ભાવના પણ હરકુંવરબાઈએ તથા રુક્મિણીબાઈએ ભેગા મળીને એ જમાનામાં રૂા. ૭૮,૦૦૦/૦૦ જેટલી મોટી રકમ આપીને, કલેકટરને સોંપીને, સરકારી બાંયધરી નીચે ‘શેઠ હઠીસિંહ કેસરીસિંહ સિવિલ હૉસ્પિટલ' ખોલાવી હતી.
. શેઠાણી હરકુંવરબાઈએ ટંકશાળમાં ધર્મનાથ ભગવાનનું જૈન દેરાસર રૂા. ૨૦,૦૦૦|૦૦ ખર્ચીને બંધાવ્યું હતું. માંડવીની પોળમાં દેરાસર બંધાવવા માટે તેમણે ખૂબ જ મોટી રકમ ખર્ચી હતી. ફતાસાની પોળના શ્રેયાંસનાથના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેમાં તેમણે લગભગ પોણા બે લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
તેમણે તે સમયે ઠેઠ સમેતશિખરજીનો સંઘ અજબ હિંમતથી કાઢ્યો હતો. તદુપરાંત, પં. વીરવિજયગણિના ઉપદેશથી સં. ૧૯૨૦ના કા. વ૰ બીજના રોજ સમેતશિખરનો સંઘ કાઢ્યો. આ સંઘ મહા વદી ૧૩ના રોજ સમેતશિખર પહોંચ્યો હતો અને જેઠ વદ ૪ના શુક્રવારે અમદાવાદ પાછો ફર્યો હતો. વળી, તે સમય દરમ્યાન રેલવે ન હતી એટલે ગાડામાં મુસાફરી કરવી પડતી, નદીનાળાં ઓળંગવાં, ગામડાંમાંથી વસ્તુઓ ભેગી કરવી, અગાઉથી રસ્તાઓનું સમારકામ કરાવવું, ચોકિયાતો લેવા, અધિકારીઓ પાસેથી રક્ષણપત્રો મેળવવા—એવાં એવાં અનેક કામો શેઠાણીની વ્યવસ્થાશક્તિથી, અગમચેતીથી, હિંમતથી અને આગવી કોઠાસૂઝથી પૂરાં થતાં હતાં. સમેતશિખર દૂર હોવાથી આ યાત્રાને તેમાં મહિનાઓ લાગ્યા હતા. શેઠાણીના સંઘનો ભપકો બહુ ભારે હતો. કોઈ મહારાણી યાત્રાએ નીકળે તેવો ગૌરવવંતો ઠાઠ હતો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org