________________
૨૦૪
રાજનગરનાં જિનાલયો હરકુંવર શેઠાણી શેઠ હઠીસિંહને બે પત્નીઓ હતી. આ બંને પત્નીઓ તે શેઠ હેમાભાઈની દીકરીઓ – રુક્મિણી અને પ્રસન્ન શેઠાણી. રુક્મિણી શેઠાણીની આંખોની રોશની ચાલી ગઈ. પ્રસન્ન શેઠાણી નાની ઉંમરે મૃત્યુ પામી. પ્રસન્ન શેઠાણીના મૃત્યુના છ માસ પછી શેઠ હઠીસિંહે હરકુંવર સાથે સાદાઈપૂર્વક ત્રીજા લગ્ન કર્યા હતા. આ હરકુંવરબાઈ ઘોઘા શહેરના એક સાધારણ સ્થિતિના વેપારીની દીકરી હતા. તેઓ સાધુ-સાધ્વીઓના સંસર્ગમાં રહી સુશિક્ષિત થયા હતા. આ
તેઓ સાસરે આવતાં જ શેઠને એમનાં અક્ષણ અને રેશમના વેપારમાં સારો લાભ મળ્યો. નવી શેઠાણી શુન્નવંતા મનાયા તેમના માન તથા પ્રતિષ્ઠા વધ્યા. તેઓ હતા પણ માનને પાત્ર જ. એમની દીર્ધદષ્ટિ, ધીરજ, સમજણ, વ્યવહારકુશળતા અને ચતુરાઈ જેવા ગુણો - એમની અસાધારણ પ્રતિભાના દ્યોતક હતા.
સં. ૧૯૦૧માં હઠીસિંહ શેઠનું મૃત્યુ થયું. કુટુંબ પર અણધારી આફત આવી પડી. ત્યારબાદ ખૂબ જ ટૂંકા સમયમાં હઠીસિંહ શેઠના વૃદ્ધ માતૃશ્રી પણ ગુજરી ગયા. આ સંજોગોમાં બધી જવાબદારી હરકુંવર શેઠાણીના માથે આવી પડી. આમ તો રુક્મિણી શેઠાણી અને હરકુંવર શેઠાણી વચ્ચે ઘણો જ મનમેળ હતો પણ અન્ય કેટલીક વ્યક્તિઓની ઉશ્કેરણીને કારણે એ મનમેળ તૂટી જાય તેવું લાગવાથી હરકુંવર શેઠાણીએ પ્રેમાભાઈ શેઠને વચ્ચે રાખ્યા અને મિલકતની વહેંચણી કરાવી કે જેથી ભવિષ્યમાં મિલકત અંગેનો કોઈ ઝગડો ઊભો રહે નહીં.
પોતાની હયાતી દરમ્યાન શેઠ હઠીસિંહે દિલ્લી દરવાજા બહાર વાડીના મંદિરનું ખાતમુહૂર્ત કર્યું હતું. પણ એમના અવસાનને કારણે એમનું આ સ્વપ્ન અઘરું રહ્યું હતું. હરકુંવર શેઠાણીએ એને પૂરું કરવાનો નિર્ધાર કર્યો.
પોતે ભણેલાં અને હોશિયાર હતા. મંદિરના નકશાઓ જાતે જોતા હતા. જરૂર પડે ત્યાં ફેરફાર પણ સૂચવતા હતા. તેમણે ગુજરાત અને કાઠિયાવાડમાંથી ખૂબ જ મોટી સંખ્યામાં મિસ્ત્રીઓને બોલાવ્યા અને આ કામ પૂરું કરવા માટે, ખર્ચની જરા પણ ચિંતા કર્યા વિના તેમણે ખૂબ જ જહેમત ઉઠાવી અને માત્ર બે વર્ષમાં જ આ મંદિરનું કામ પાર પાડ્યું. પતિના ધાર્યા કરતા પણ વધારે મોટા પાયા ઉપર દેરાસરનો વિસ્તાર કર્યો.
સં. ૧૯૦૩ના મહા વદ પાંચમનું પ્રતિષ્ઠાનું મુહૂર્ત આવતાં તેમણે તડામાર તૈયારીઓ કરવા માંડી. કંકોત્રીઓ કાઢી. દેશ-દેશાવરના સંઘોને તથા સાધુ-સાધ્વીઓને નિમંત્રણ આપવામાં આવ્યું. બહારથી લગભગ એક લાખ માણસો પ્રતિષ્ઠામાં ભાગ લેવા આવ્યા હતા. દિલ્હી દરવાજાથી શાહીબાગના મહેલ સુધી લોકોનો પડાવ થયો હતો. બધા જ પ્રકારની દેખરેખનો મુખ્ય ભાર હરકુંવર શેઠાણી પર જ હતો. અને પ્રતિષ્ઠાનું આ આખું કાર્ય એમણે અતિદક્ષતાથી, ધામધૂમપૂર્વક પાર પાડ્યું.
સં. ૧૯૦૩ના મહા વદ પાંચમને દિવસે ચૌદ ઘડી અને પાંચ પળે પ્રતિમાજીની અંજન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org