SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ - રાજનગરનાં જિનાલયો શેઠ દલપતભાઈને શ્રી સિદ્ધાચલજીનો છરી પાળતો સંઘ કાઢવાની અભિલાષા થઈ. તેમને મહારાજશ્રીને સંઘમાં સાથે આવવાની વિનંતી કરી. અને મહારાજશ્રીએ તેમનો ભાવ જોઈને તે વાત કબૂલ કરી. સં. ૧૯૨૧માં તેમણે ધામધૂમપૂર્વક સિદ્ધાચલજીનો સંઘ કાઢ્યો. આ સંઘમાં આશરે એંસી હજાર રૂપિયાનો ખર્ચ થયો હતો. આ સમયે સિદ્ધાચલજીમાં શેઠ કેશવજી નાયક તરફથી મહાસુદ-૧૩ ને દિવસે અંજનશલાકા થવાની હતી. આ પ્રસંગને અનુલક્ષીને નવકારશી કરાવવાની તેમની ઘણી ઇચ્છા હોવા છતાં કેટલાંક કારણસર તેમની આ ઇચ્છા પાર પડી નહિ. શેઠ દલપતભાઈએ આ સોનેરી અવસરનો લાભ લીધો અને તે દિવસે નવકારશી કરાવી. આજે શેઠ દલપતભાઈ ભગુભાઈના વંડામાં જે દેરાસર છે તેની પ્રતિષ્ઠા શ્રી રવિસાગરજી મહારાજની નિશ્રામાં થઈ હતી. દેરાસરના મૂળનાયક શાંતિનાથ ભગવાન છે. જે પંચતીર્થી ધાતુના છે. પ્રતિમાજી સં. ૧૫૦૦ની આસપાસના સમયના છે. આ પ્રસંગે કરેલ ઉજમણાનો અને પ્રતિષ્ઠાનો ખર્ચ પચાસ હજાર રૂપિયા થયો હતો. શેઠ દલપતભાઈ ભગુભાઈનાં ધર્મપત્ની ગંગાબહેનનો જન્મ સં. ૧૯૦૩માં થયો હતો. અને લગ્ન સં૧૯૧૪માં થયા હતા. એઓ સ્વભાવે દયાળુ-શ્રદ્ધાળુ-ધર્મનિષ્ઠ-ઉદાર અને કુટુંબમાં સંપ જાળવનારા હતા. તીર્થયાત્રા-પ્રભુપૂજા, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ-પચ્ચકખાણ અને સાધુ ભગવંતોને આહાર-પાણી વહોરાવવા જેવા ધર્મ કાર્યોમાં પોતાનો મોટાભાગનો સમય પસાર કરતા હતા. ખરા અંતઃકરણપૂર્વક સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ પણ કરતા હતા. કેટલાંક ધર્મકાર્યોમાં તેઓ પુરુષના જેવી હિંમત દર્શાવતા. આબુજી અને સમેતશિખર તીર્થના રક્ષણ માટે જવાની તેમણે પોતાના પુત્ર લાલભાઈ શેઠને પ્રેરણા આપી હતી. કન્યા કેળવણી પ્રત્યે તેમને વિશેષ રુચિ હતી. તેમના સુપુત્ર શ્રી લાલભાઈ તથા બીજા બે પુત્રોએ ઝવેરીવાડના નાકે “શેઠાણી ગંગાબેન જૈન કન્યાશાળાની સ્થાપના કરી હતી. આ માટે હજારો રૂપિયાનો ખર્ચ કર્યો હતો. શત્રુંજયની તળેટીમાં યાત્રિકો શરૂઆતમાં સતી વાવ પાસેના ઓટલા પર બેસીને ભાતું વાપરતા હતા. આ ઓટલા પાસે વિશાળ વડલો હોવાથી સૌને તેનો છાંયડો મળી રહેતો. સં. ૧૯૬૮-૬૯ની આસપાસના સમયમાં વાવાઝોડાને કારણે આ વડલો પડી ગયો. ધર્મભાવનાશીલ ગંગાબેને સં. ૧૯૭૦ (ઈ. સં. ૧૯૧૪)માં ભાતા ઘરનું પાકું અને મોટું મકાન બાંધી આપ્યું કે જેથી યાત્રાળુઓ આરામથી બેસીને ભાતું વાપરી શકે. એ મકાન પર આ પ્રમાણે લેખ હતો. ૐ શેઠ લાલભાઈના માતાજી ગંગાબાઈ સને ૧૯૧૪, અમદાવાદ, મિસ્ત્રી મો. મા. સં. ૧૯૭૦ સા.” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy