SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૯૯ ધાર્મિક અને માનવતાલક્ષી સખાવતોની સાથે સાથે સામાજિક અને કેળવણીવિષયક સખાવતોમાં પણ તેમણે દાનની સરિતા સતત વહેવડાવી હતી. જેમકે, સં. ૧૯૧૨માં (ઈ. સ. ૧૮૫૬માં) અમદાવાદમાં “હઠીસિંહ એન્ડ પ્રેમાભાઈ હૉસ્પિટલ' બંધાવવા અને નિભાવવા રૂા૨૨,૧૫૦૦૦ આપ્યા હતા. જે “જૂની સિવિલ હૉસ્પિટલ (ઘીકાંટા) તરીકે પ્રસિદ્ધ થઈ. આજે તે મકાનમાં કોર્ટની કચેરીઓ છે. સિવિલ હૉસ્પિટલનું સ્થળાંતર, આજે જ્યાં નવી સિવિલ હૉસ્પિટલ છે, ત્યાં થયેલું છે. આમ, આજે ગુજરાતની સૌથી મોટી અમદાવાદની આ સિવિલ હૉસ્પિટલના આદ્યસ્થાપકો શેઠ પ્રેમાભાઈ અને શેઠ હઠીસિંહ હતા. ઉપરાંત, સં. ૧૯૧૩માં (ઈ. સ. ૧૮૫૭) પોતાના પિતાના નામે “હિમાભાઈ ઇન્સ્ટિટ્યૂટ' નામના પુસ્તકાલયની સ્થાપના કરવા માટે રૂા૭,000/00 થી વધુ રકમ આપી. નગરશેઠ શ્રી પ્રેમાભાઈની ખાનગી ટપાલ-વ્યવસ્થાને કારણે અંગ્રેજ સરકારને સંદેશા વ્યવહાર માટે મદદ મળી હતી. તેમની આ રાજ્યસેવાથી ખુશ થઈને ૧લી જાન્યુઆરી, ૧૮૭૭ના રોજ (સં. ૧૯૩૩) તે વખતના વાઇસરોય અને ગવર્નર લૉર્ડ લીટને (Lytton) તેમને “રાયબહાદુર'નો ખિતાબ આપ્યો હતો. અમદાવાદની મ્યુનિસિપાલિટીમાં તેઓએ પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી હતી. અમદાવાદમાં તેમની યાદ કાયમી રહે તે માટે તેમના નામ ઉપરથી પ્રજાએ “પ્રેમદરવાજા' અને “પ્રેમાભાઈ હોલ'ની સ્થાપના કરી છે. - નગરશેઠ પ્રેમાભાઈ સં. ૧૯૪૩ના (ઈ. સ. ૧૮૮૭માં) આસો વદિ આઠમના રોજ ૬૨ વર્ષની વયે મૃત્યુ પામ્યા.૮ શેઠ દલપતભાઈ-ગંગાબા (સં. ૧૯૦૩ થી સં. ૧૯૭૦) શેઠશ્રી દલપતભાઈ ભગુભાઈ દિલના અત્યંત ઉદાર હતા. તેઓ દાનેશ્વરી પણ હતા. તે વખતના અન્ય જૈન શ્રેષ્ઠીઓ તેમના પ્રભાવને કારણે તેમનું વચન ઉથાપતા ન હતા. વ્યવહારિક તેમ જ ધાર્મિક કેળવણી પ્રત્યે તેમની વિશેષ અભિરુચિ હતી. વિદ્વાનોને તેઓ સર્વ પ્રકારે ઉત્તેજન આપતા હતા. સાધુ ભગવંતોના વ્યાખ્યાન સાંભળવાનો તેમનો નિત્યક્રમ એક વ્યસન જેવો બની ગયો હતો. આથી પાનકોરનાકા પરના પોતાના વંડામાં અનેક સાધુ ભગવંતોને સ્થિરતા કરવાનો આગ્રહ કરતા. શ્રી રવિસાગરજી મહારાજ પ્રત્યે તેમનો શિષ્યભાવ એવો હતો કે તેમની આજ્ઞાને તેઓ મસ્તકે ધારણ કરતા હતા. સં. ૧૯૧૪માં શ્રી રવિસાગરજીએ પાંજરાપોળમાં શેઠના માતુશ્રીને તથા રુકમણિ શેઠાણીને ઉપધાન કરાવ્યા હતા. શેઠશ્રી દલપતભાઈને સિદ્ધાચલ પર અત્યંત રાગ હતો. સં. ૧૯૧૮-૧૯-૨૦ આ ત્રણે વર્ષના ચોમાસામાં શ્રી વૃદ્ધિચંદ્રજીએ અમદાવાદમાં સ્થિરતા કરી હતી. સ. ૧૯૨૦ના ચોમાસામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy