SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ રાજનગરનાં જિનાલયો નગરશેઠ શ્રી પ્રેમાભાઈ (સં. ૧૮૭૧ - સં૧૯૪૩) નગરશેઠ શ્રી હેમાભાઈના બે પુત્રો–નગીનદાસ અને પ્રેમાભાઈ. એ બંનેમાંથી પ્રેમાભાઈ “પિતા કરતાં સવાયા' કહી શકાય એવા પ્રતિભાસંપન્ન બન્યા. તેમનો જન્મ સં. ૧૮૭૧ના કારતક માસમાં થયો હતો. પ્રેમાભાઈ નાનપણથી જ વિદ્યાપ્રેમી હતા. અંગ્રેજીના સારા અભ્યાસી હતા. પોતાની કુટુંબ-પરંપરા પ્રમાણે તેમના દ્વારા પણ અનેક ધાર્મિક સત્કાર્યો થયાં હતાં. અમદાવાદમાં ઝવેરીવાડામાં આવેલ ઉજમફઈની ધર્મશાળા અને ઉપાશ્રયે તેઓ નિયમિત જતા હતા. પોતાના પિતા હેમાભાઈને મૃત્યુ પાછળ તેમણે અમદાવાદ શહેરની નાત અને ૮૪ ગચ્છના શ્રાવક-શ્રાવિકાઓની નવકારશી કરી હતી. સં૧૯૩૬માં (ઈ. સ. ૧૮૮૦માં) હિન્દુસ્તાનના શ્રી સકળસંઘને એકત્રિત કરી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું બંધારણ ઘડવામાં આવ્યું. શેઠ પ્રેમાભાઈના પ્રમુખપદ નીચે આ બંધારણ સૌ પ્રથમ અસ્તિત્વમાં આવ્યું. જૈન તીર્થોનો વહીવટ કરનાર અને પ્રતિનિધિત્વ કરનાર શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી આજે પણ ભારતના સમગ્ર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. શેઠ હેમાભાઈને ધર્મશ્રવણમાં બહુ શ્રદ્ધા હતી. પ્રથમ તેઓ વીરને ઉપાશ્રયે વ્યાખ્યાન સાંભળવા જતા હતા. પાછળથી ઉજમબાઈની ધર્મશાળામાં તેમ જ સાગરગચ્છના ઉપાશ્રય વ્યાખ્યાન શ્રવણ કરવા જતા હતા. ઉજમબાઈ નગરશેઠ શ્રી પ્રેમાભાઈનાં ફઈ થતાં. તેઓ “ઉજમફઈના નામે વધુ જાણીતાં હતાં. પાલીતાણામાં ગિરિરાજ-શત્રુંજય પર “ઉજમફઈની ટૂંક' અને અમદાવાદ-પાલીતાણા વગેરે શહેરોમાં ઉજમફઈના નામની ધર્મશાળાઓ પણ છે. ઉજમબાઈએ સં. ૧૯૨૯માં તપાગચ્છાધિરાજ પૂજ્ય શ્રી મૂલચંદજી મહારાજના ઉપદેશથી પોતાનું ઘર જૈન ધર્મશાળા તરીકે સમર્પિત કર્યું હતું. પ્રેમાભાઈએ પાલીતાણામાં ગિરિરાજ-શત્રુંજય ઉપર પાંચ લાખ રૂ.ના ખર્ચે તેમણે શેઠ પ્રેમાભાઈની ટૂક” બંધાવી હતી અને પાલીતાણા ગામમાં ધર્મશાળા પણ બંધાવી હતી. અમદાવાદમાં ઝવેરીવાડામાં તેમણે રૂ૪૦,૦૦૦/૦૦ના ખર્ચે સં૧૯૦૫માં (ઈ. સ. ૧૮૪૯માં) મહાવીર સ્વામીનું દેરાસર બંધાવ્યું હતું. અમદાવાદ, પાલીતાણા વગેરે જગ્યાએ પાંજરાપોળો બંધાવવામાં ઘણી આર્થિક સહાય કરી હતી. કેસરીયાજી અને પંચતીર્થીનો મોટો સંઘ કાઢીને ઘણા જૈનોને યાત્રા કરવા લઈ ગયા હતા. શેઠ પ્રેમાભાઈએ ઊભી સોરઠનો સંઘ કાઢ્યો, તેના ઢાળિયાની રચના પં. વીરવિજયજી મહારાજે સં. ૧૯૦૫માં કરી હતી. નરોડા, સરખેજ, બરવાળા, ગુંદી, માતર અને ઉમરાળા–આ છ સ્થળોએ ધર્મશાળાઓ બંધાવવા માટે તેમણે તે સમયે રૂ. ૨૩,૦૦૦/૦૦ આપ્યા હતા. ગરીબોને અવારનવાર છૂપી સહાય કરતા નગરશેઠ શ્રી પ્રેમાભાઈએ સં૧૯૧૭ના દુષ્કાળ વખતે “દુષ્કાળ સહાય ફંડમાં રૂપિયા વીસ હજાર (૨૦,૦૦૦/૦૦ રૂo)ની મદદ કરી હતી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy