________________
રાજનગરનાં જિનાલયો
૧૫
રહ્યા. હવે તમારો અમલ થતાં તમારા શરણે છીએ.” આ પ્રકારની વાટાઘાટો અને ચર્ચાવિચારણાના અંતે જનરલ ગોડડ પોતાના નામે તા. ૧૧મી ફેબ્રુઆરી ઈ. સ. ૧૭૮૦ (સં. ૧૮૩૬ આસપાસ)ના રોજ પલ્શયન ભાષામાં જાહેરનામું (manifesto)બહાર પાડ્યું, જેમાં નગરશેઠ નથુશાનું નામ મોખરે છે. આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે–
“નથુશા નગરશેઠ અને બીજાઓએ તથા અમદાવાદના રહેવાસીઓ અને પ્રજાને એ માલૂમ થાય કે અત્યારે તેઓએ મનની સંપૂર્ણ શાંતિથી પોતાના ઘરમાં રહેવું તથા તેમના હૃદયમાં કોઈપણ જાતની આતુરતા કે ભય રાખવા નહીં અને તેમણે તેમનાં રોજિંદા ધંધાપાણી ચાલુ રાખવાં, કારણ કે કોઈ તેમના રસ્તામાં કોઈ પણ કારણથી નુકસાન કે અવરોધ કરશે નહીં. આ ઓર્ડરને તાકીદનો ગણવો અને ઉપર લખ્યા પ્રમાણે તેમનું પાલન કરવું.”
નથુશા શેઠે ચિંતામણિ પાર્શ્વનાથનું દહેરાસર ઝવેરીવાડમાં બંધાવ્યું હતું.
નગરશેઠ વખતચંદ
| (સં૧૭૯૬થી સં. ૧૮૭૦) વખતચંદ શેઠનો જન્મ સં. ૧૭૯૬ના કારતક વદ બીજના દિવસે થયો હતો. મોટાભાઈ નથુશાના મત્યુ પછી વખતચંદને નગરશેઠ પદ પ્રાપ્ત થયું. સં. ૧૮૭૦ના ફાગણ વદ ચોથના દિવસે મૃત્યુ પામેલ નગરશેઠ વખતચંદના જીવનના અનેક પ્રસંગોની માહિતી આપણને વખતચંદ શેઠનો રાસ' એ કૃતિમાંથી પ્રાપ્ત થાય છે. હિરવિજયસૂરિની શિષ્ય પરંપરામાં થઈ ગયેલ ક્ષેમવર્ધન દ્વારા રચાયેલ આ રાસ સં. ૧૮૭૦ના અષાઢ સુદ ૧૩ના દિવસે પૂરો થયેલ છે. એટલે કે નગરશેઠ વખતચંદના મૃત્યુ પછી તરત જ તેની રચના થયેલી છે.
આ રાસમાં અને અન્યત્ર મળતા ઉલ્લેખો પ્રમાણે નગરશેઠ વખતચંદે પોતાના પૂર્વજોએ ખેડેલ વ્યાપારને સાચવીને તેને ખૂબ વિકસાવ્યો હતો. બહોળા વેપારને કારણે ધનનો જે અવિરત કહી શકાય તેવો પ્રવાહ આ નગરશેઠ કુટુંબમાં આવતો અને તેનો ધર્મકાર્યો અને અનેક સુકૃતોમાં ઉપયોગ કરવાનું પણ તેઓ ચૂકતા નહીં. વખતચંદ શેઠે ઝવેરીવાડામાં ઘણાં જિનમંદિરો બંધાવ્યાં. શાંતિદાસ શેઠના સ્મરણાર્થે આદીશ્વર પ્રભુને મંદિરમાં બેસાડ્યા. વખતચંદ શેઠે અજિતનાથ, વિરપ્રભુનું, શ્રી સંભવનાથનું વગેરે દેરાસરો બંધાવ્યાં. આ રીતે એ સમયે ઝવેરીવાડામાં ૨૭ દેરાં શોભતાં હતાં. સં. ૧૮૬૪માં તેમણે સંઘપતિ થઈને શત્રુંજયગિરનારનો મોટો સંઘ કાઢ્યો હતો. સં. ૧૮૬૮ના વૈશાખ સુદ ત્રીજને બુધવારે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુનાં ત્રણ પગલાંની શ્રી આનંદસાગરસૂરિના હસ્તે સ્થાપના કરાવી. ઝવેરીવાડામાં શાંતિનાથ પ્રભુની મૂર્તિ ઉપર તેમનો મુકુટ કરાવ્યો. આ વખતે શેઠના પુત્ર ઇચ્છાચંદની પત્ની ઝવેરીબહેને રોહિણી તપ આદર્યો. અને સં. ૧૮૬૮ના આસો સુદ બીજનું ઉજમણું કરીને ત્યારપછી તેઓ કુટુંબ સાથે નવ્વાણું યાત્રા કરવા માટે શત્રુંજય ગયા. આ યાત્રામાં તેમની પુત્રી ઉજમબાઈ પણ હતાં. વીસ યાત્રા પૂરી થઈ ત્યારે આ ઉજમબાઈના પતિના મૃત્યુના સમાચાર આવ્યા પણ ઉજમબાઈએ સમતા અને હિંમત રાખીને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org