SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૯૩ શ્રી રાજસાગરસૂરિ-નિર્વાણ રાસ'ના ઉલ્લેખ પ્રમાણે શાંતિદાસ ઝવેરીનો સ્વર્ગવાસ સં. ૧૭૧૫ની સાલમાં થયો હતો. જ્યારે માલતીબહેન શાહના “નગરશેઠ શાંતિદાસ ઝવેરી ગ્રંથના ઉલ્લેખ પ્રમાણે તેમનો સ્વર્ગવાસ સં. ૧૭૧૬માં થયો હોવાનો સંભવ છે. ૧૩ નગરશેઠ શ્રી લક્ષ્મીચંદ (સં. ૧૭૧૭) નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના પાંચ પુત્રોમાંથી નગરશેઠ પદની જવાબદારી અદા કરવાનું માન તેમના પુત્ર શ્રી લક્ષ્મીચંદને પ્રાપ્ત થયું હતું. વિ. સં. ૧૭૧૭ના દુકાળમાં શેઠ લક્ષ્મીચંદ અને તેમના ભાઈઓએ દાનવીર જગડુશાહની જેમ લોકોને સહાય કરી હતી.૧૪ નગરશેઠ શ્રી ખુશાલચંદ (સં. ૧૭૭૫ - સં૧૮૦૪) અમદાવાદના નગરશેઠ પદની પરંપરામાં નગરશેઠ શ્રી લક્ષ્મીચંદની પછી નગરશેઠાઈ ભોગવનાર તેમના પુત્ર નગરશેઠ શ્રી ખુશાલચંદનું નામ ઉજ્વળ અક્ષરે અંકિત થયેલું છે. ધાર્મિક આચાર-વિચાર ધરાવનાર અને ખૂબ ભાવનાશીલ એવા આ નગરશેઠે પોતાની આવડત અને મત્સદ્દીગીરીથી અમદાવાદ શહેરના કરેલા બચાવનો પ્રસંગ ખૂબ જ નોંધપાત્ર છે. તે સમયે દિલ્હીમાં બાદશાહ મુહમ્મદશાહની રાજ્યસત્તા હતી. (સં. ૧૭૦૫ થી ૧૮૦૪ની આસપાસ) આ સમય દરમ્યાન નગરશેઠ ખુશાલચંદ અમદાવાદના નગરશેઠ તરીકે ખૂબ સક્રિય જીવન જીવી ગયા. સં. ૧૭૮૧ની આસપાસ (ઈ. સ. ૧૭૨૫) હમીદખાન તેના મરાઠાસાથીઓ કંથાજી અને પીલાજીની સાથે અમદાવાદ શહેરમાં પાછા ફર્યા ત્યારે હમીદખાનના મરાઠા સાથીદારોએ શહેર લૂંટવાનો પ્રયત્ન કર્યો. તે વખતે મરાઠાઓની લુંટમાંથી અમદાવાદ શહેરને બચાવવા માટે નગરશેઠ શ્રી ખુશાલચંદે પોતાનાં પૈસા અને જાનના જોખમે પ્રયત્ન કર્યો. અમદાવાદ શહેરના મહાજન તરફથી નગરશેઠ શ્રી ખુશાલચંદને ઐતિહાસિક દષ્ટિએ અગત્યનો ગણી શકાય તેવો એક દસ્તાવેજ પણ આપવામાં આવ્યો હતો. આ દસ્તાવેજમાં અમદાવાદ શહેરના મહાજનના પ૩ જેટલા હિન્દુ અને મુસલમાન વેપારીઓની સહી હતી. જૂની ગુજરાતીમાં લખાયેલા આ દસ્તાવેજનો મુખ્ય સાર આ પ્રમાણે છે : હમીદખાનના સમયમાં મરાઠાઓ જ્યારે અમદાવાદ શહેર લૂંટવા આવ્યા ત્યારે નગરશેઠ શ્રી ખુશાલચંદે પોતાના પૈસા વાપરીને અને પોતાના જાનના જોખમે અમને અને શહેરને બચાવ્યું છે. તેની કદરરૂપે અમે બધા મહાજનો રાજીખુશીથી નક્કી કરીએ છીએ કે શહેરમાં આવતાં અને જતાં બધા માલસામાનની અને રેશમ વગેરેની જકાતની જે આવક થાય રા-૨૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy