SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો શેઠ શ્રી શાંતિદાસને અમદાવાદમાં ભવ્ય દેરાસર બંધાવવાનો વિચાર આવ્યો. આ વિચાર તેમણે પોતાના ભાઈ વર્ધમાનને જણાવ્યો. અને ત્યારબાદ તેમણે દેરાસર બંધાવવા મુક્તિસાગરજી મહારાજની આજ્ઞા માંગી. ૧૯૨ સં. ૧૯૫૫માં અમદાવાદમાં ઢીંગવાપાડા (આજનું ઢીંકવા ચોકી, કાલુપુર, ટંકશાળ પાસે) પાસેની જમીનમાંથી ચિંતામણિ પાર્શ્વનાથની જિનપ્રતિમા નીકળી હતી. જૈન સથે સં. ૧૬૫૬માં માગશર સુદિ પાંચમના રોજ અમદાવાદના શકંદરપુર પાસેના બીબીપુરમાં જિનપ્રાસાદ બંધાવી, તેમાં ભટ્ટા વિજયસેનસૂરિના હાથે ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી હતી. શેઠ શાંતિદાસ ઝવેરીએ બીબીપુરમાં તીર્થધામ બનાવવા સં. ૧૯૭૯માં મોટાભાઈ વર્ધમાનની દેખરેખ નીચે ચિંતામણિ પાર્શ્વનાથના આ મંદિરનો મોટો જીર્ણોદ્વાર શરૂ કરાવ્યો.ત્રણ શિખરો, ત્રણ ગભારા, છ મંડપો, ત્રણ શૃંગારચોકી બનાવી ચારે બાજુએ નાની બાવન દેરીઓ બનાવી. તેને ફરતો મજબૂત કિલ્લો બનાવ્યો. આમ, તીર્થધામ જેવો વિશાળ જિનપ્રાસાદ બનાવી, નવી જિનપ્રતિમાઓ ભરાવી. મોટો ઉત્સવ કરી મહો૰ મુક્તિસાગર ગણિવરના હાથે સં. ૧૬૮૨ના જેઠ વદ નોમને ગુરુવારે મહા પ્રતિષ્ઠા કરી. સં. ૧૯૯૪માં (ઈ. સ. ૧૬૩૮માં) મેન્ડેલસ્લો નામનાં પ્રવાસીએ આ દેરાસરની મુલાકાત લીધી અને તેની વિગતો નોંધી છે. સં. ૧૬૯૭માં (ઈ. સ. ૧૯૪૦માં) ‘શ્રી ચિંતામણિ પ્રશિસ્ત' કાવ્ય રચાયું, જેમાં મંદિરના વર્ણનની ઘણી વિગતો આવે છે. સં. ૧૭૦૧માં (ઈ. સ. ૧૬૪૫માં) ઔરંગઝેબે તેને મસ્જિદમાં ફેરવ્યું. સં. ૧૭૦૪માં (ઈ. સ. ૧૬૪૮માં) તે ઇમારત પાછી મેળવવા અંગે શાહજહાં બાદશાહ પાસેથી શેઠ શાંતિદાસ ઝવેરીએ ફરમાન કઢાવ્યું. સં. ૧૭૦૫માં (ઈ સ ૧૬૪૯માં) ચિંતામણિ પાર્શ્વનાથ જિનાલય ફરી તૈયા૨ કરાવવામાં આવ્યું. પરંતુ મંદિરમાં ગાયનો વધ થયેલો હોવાથી ફરી દેરાસર તરીકે તેને સ્વીકારવામાં આવ્યું નહીં. અને આમ, તે સમયમાં લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કરાવવામાં આવેલા આ ભવ્ય જિનાલયનો નાશ થયો. (આ જિનાલય વિશેની વિગતવાર નોંધ આ ગ્રંથમાં અન્ય સ્થળે રજૂ કરવામાં આવી છે.) શેઠ શાંતિદાસ ઝવેરીના જીવનનું આ એક સોનેરી સ્વપ્ન હતું. આ સોનેરી સ્વપ્નને ઔરંગઝેબ જેવા કટ્ટર મુસ્લિમ રાજાએ ઝનૂનથી અને ક્રૂરતાથી ધૂળમાં રગદોળી નાંખ્યું. આ દુર્ઘટનાએ શાંતિદાસ ઝવેરીના હૃદયને કેવી પીડા આપી હશે તે તો માત્ર ઈશ્વર જ જાણે ! શાંતિદાસ ઝવેરીએ ઝેરના એ પ્યાલાને પીધો અને પચાવ્યો પણ ખરો. અને ધીમે ધીમે એ વિષના પ્યાલાને અમૃતમાં પલટાવવાનો પ્રચંડ પુરુષાર્થ કર્યો. જે ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનમંદિરને તોડ્યું, તે જ ઔરંગઝેબ સમય જતાં શાંતિ સ્થાપવા પોતાના અગ્રદૂત તરીકે શેઠ શાંતિદાસ ઝવેરીને નવાજે છે ! કહેવાય છે કે ફિનિક્સ નામનું પંખી મૃત્યુ પામે તો તેની રાખમાંથી ફરી વાર નવો જન્મ લે છે. ઔરંગઝેબે શાંતિદાસ ઝવેરીના આ ભવ્ય જિનાલયને તોડ્યું, તો તેના વારસદારોએ ઝવેરીવાડામાં જ સો વર્ષ પછી પણ બીજાં અનેક દેરાસરો બનાવ્યાં. એક સમય એવો હતો કે માત્ર ઝવેરીવાડામાં જ ૨૭ દેરાસરો જૈન શાસનની ધજાઓ ફરકાવતાં હતાં. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy