________________
રાજનગરનાં જિનાલયો
બંદોબસ્ત અને પૂરતાં સાધનો સાથે કાઢ્યો હતો. આ સંઘમાં તે સમયે ૧૫,૦૦૦ કરતાં પણ વધારે શ્રાવકો અને સાધુ-સાધ્વીઓ જોડાયાં હતાં.
પોતે પોતાની આવડતથી અને દૈવયોગે, પોતાના ભાઈ વર્ધમાનની સાથે મળીને લગભગ સમગ્ર ભારતને ખૂંદીને જે ધન કમાયા હતાં, તેનો ઉપયોગ જૈન ધર્મ, જૈન તીર્થો અને જૈન સમાજના ઉત્કર્ષમાં કરતાં તેઓ જરા પણ અચકાતા ન હતા.
૧૯૧
“તેમને ચિંતામણિ-મંત્રની ફળપ્રાપ્તિ કરાવી આપનાર શ્રી મુક્તિસાગરજીને આચાર્ય પદવી આપવામાં પણ તેમનો ઉત્સાહભર્યો ફાળો નોંધપાત્ર છે. (શાંતિદાસે) પોતાના ધાર્મિક ગુરુ મુક્તિસાગરને પૂ શ્રી વિજયદેવસૂરિના હાથે આચાર્યપદ અપાવવા માટે સં. ૧૬૮૬(ઈ સ ૧૬૩૦)માં પોતાની વિશાળ સત્તા-લાગવગનો ઉપયોગ કર્યો હતો. આ ઉત્સવ અમદાવાદમાં મહાવીર સ્વામીના દેરાસરમાં ઊજવાયો હતો. અને આ પ્રસંગે મુક્તિસાગરે રાજસાગરસૂરિનું નવું નામ ધારણ કર્યું હતું, કે જે નામ ૧૭મી સદીના જૈન સંઘના ઇતિહાસમાં પ્રસિદ્ધ છે.
આચાર્યપદ પ્રાપ્ત થયા પછી રાજસાગરસૂરિજીએ જે સાગરગચ્છની સ્થાપના કરી હતી તેમાં પણ શ્રી શાંતિદાસ શેઠે અગ્રિમ ફાળો આપેલો. આ સાગરગચ્છની સ્થાપના થયા પછી તેનો વિકાસ થાય તે માટે તેમણે શ્રાવકોને આ ગચ્છમાં આકર્ષવા માટે સોનાનો વેઢ, વીંટીઓ, પાઘડીઓ, શેલા વગેરેની છૂટથી પ્રભાવના કરી હતી. અને તેને પરિણામે લાખો લોકો તેમાં જોડાયા હતા. તદુપરાંત, અમદાવાદ, ખંભાત, પાટણ, સુરત, વડોદરા, ડભોઈ, સાણંદ, ભાવનગર, મહેસાણા, રાંદેર વગેરે અનેક સ્થળોએ સાગરગચ્છના ઉપાશ્રયો પણ બંધાવ્યા હતા.
તેમની આચાર્ય પદવીના આ પ્રસંગે થયેલી અનેક ખટપટો અને વિવિધ વિઘ્નોમાંથી રસ્તો કાઢીને તેમણે આ આચાર્ય પદ પ્રદાન પ્રસંગ અમદાવાદમાં ખૂબ શાનદાર રીતે ઊજવ્યો હતો. એટલું જ નહીં, સાગરગચ્છમાં આ આચાર્ય સાથે તેમને એવો તો ઘનિષ્ઠ સંબંધ હતો કે જ્યારે પોતાના અંતિમ સમયે આચાર્ય શ્રી મુક્તિસાગરજીએ જૈન સમાજને છેલ્લા ધર્મલાભ કહ્યા ત્યારે નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી માટે તેઓએ ‘અમ્હારાઈ પ્રાણ આધાર' (અમારા પ્રાણના આધાર સમા) એવા શબ્દો વાપર્યા હતા.’
શ્રી શાંતિદાસ શેઠને અમદાવાદના નગરશેઠનું પદ આપવામાં આવ્યું તે પ્રસંગ જ તેમને આદર્શ મહાજન તરીકે પ્રસ્થાપિત કરે છે. આદર્શ મહાજન તરીકેનાં કાર્યો તેઓ ખૂબ જ કુશળતાપૂર્વક કરતા હતા. શ્રીયુત ડુંગરશીભાઈ સંપટના શબ્દોમાં જોઈએ તો, “મહાજનના અગ્રેસર અને નગરશેઠ તરીકેની ફરજો બજાવવામાં એમનો ઘણો સમય જતો. વેપારીઓના પરસ્પરના ઝઘડામાં ઘણું કરીને એઓ પંચ તરીકે નિમાતા હતા. વેપારમાં ઊંડું જ્ઞાન, સારી સમજાવટ, ન્યાય કરવાની સાચી સમજ અને સ્નેહથી તેઓ અનેક વાંધા, તકરારોનો સંતોષકારક નિવેડો લાવતા હતા. પોતે હજી યુવાન હતા તથાપિ એમનામાં વૃદ્ધો જેવી ગંભીરતા હતી. ધીરજ અને શાંતિથી વિચારપૂર્વક કાર્ય કરતા હતા. અમદાવાદની પાંજરાપોળનો વહીવટ પણ તેઓ જ સંભાળતા અને નિખાલસ ભાવે કામ કરતા હતા.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org