________________
રાજનગરનાં જિનાલયો
નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરી (સં. ૧૬૪૧-સં ૧૭૧૫)
સુપ્રસિદ્ધ ઇતિહાસકાર શ્રી કોમિસેરિયટ પોતાના પુસ્તક “Studies in the History of Gujarat”માં પૃ॰ ૫૩ ઉપર નગરશેઠ શ્રી શાંતિદાસ ઝવેરીના વ્યક્તિત્વનો ગૌરવપૂર્ણ રીતે ઉલ્લેખ કરતાં જણાવે છે :
૧૮૯
“જૈન દર્શને ગુજરાતમાં સદીઓ દરમ્યાન અનેક ધાર્મિક માર્ગદર્શકો અને ઉપદેશકો પેદા કર્યા છે કે જેમનાં નામ જૈન જ્ઞાતિ દ્વારા ગૌરવપૂર્ણ રીતે લેવામાં આવે છે. પરંતુ તેમનાં સાંસારિક વ્યક્તિત્વોમાં એવું એક પણ નામ નથી કે જે શાંતિદાસ ઝવેરીની સરખામણીમાં આવી શકે. જૂની ઐતિહાસિક પરંપરા પ્રમાણે તેમને અમદાવાદના ‘નગરશેઠ’ કે ‘લૉર્ડ મેયર’નું પદ ૧૭મી સદીના શરૂઆતનાં વર્ષોમાં મળ્યું હતું. એમ માનવામાં આવે છે કે મોગલસામ્રાજ્યના અધિકારી-ઉમરાવો સાથે કોઈપણ જાતનો સંબંધ ન હોવા છતાં, શાંતિદાસ, પોતાના વ્યાપારી સંબંધો અને પોતાની વિશાળ સંપત્તિના કારણે, જહાંગીરથી લઈને ઔરંગઝેબ સુધીના એક પછી એક મોગલ બાદશાહોના દરબારમાં પોતાનો પ્રભાવ પાડી શક્યા હતા, જેની સામ્રાજ્યમાં ઊંચો દરજ્જો ધરાવતા ઘણા અમીરો અથવા મનસાબદારોને અદેખાઈ આવી હોવી જોઈએ.”
નગરશેઠ શાંતિદાસ ઝવેરીનું જીવન એવું તો સમૃદ્ધ અને પ્રભાવક હતું કે તેમના જીવનને આલેખતો એક સ્વતંત્ર ગ્રંથ માલતીબહેન શાહે પ્રગટ કર્યો છે. જે ગ્રંથનું નામ છે ‘નગરશેઠ શાંતિદાસ ઝવેરી'. શાંતિદાસ શેઠના જીવનને પૂરી વિગતો સાથે સમજવાની જિજ્ઞાસાવાળા વાચકોએ તે ગ્રંથ અવશ્ય વાંચવો જોઈએ. આ ઉપરાંત, સં. ૧૯૯૭ (ઈ. સ. ૧૯૪૧)માં શ્રીયુત ડુંગરશી સંપટે પ્રતાપી પૂર્વજો' નામનો ગ્રંથ પ્રગટ કર્યો, જેમાં શાંતિદાસ ઝવેરી વિશેની ૪૦ પાનાની ચરિત્ર નોંધ લખી છે. ઉપરાંત, શાંતિદાસ શેઠની વંશાવલી વિશે રાસ પણ રચાયા છે, જેમાં તેમના જીવનના અનેક પ્રસંગોનું વર્ણન મળી આવે છે. આમ, શાંતિદાસ શેઠ એ રાજનગરની જૈન પરંપરાના ઇતિહાસમાં એક ઝળહળતા સૂર્ય સમાન છે અને તેથી અનેક ગ્રંથોમાં તેમના વિશે કોઈ ને કોઈ ઉલ્લેખો મળી આવે છે. શ્રી શાંતિદાસ શેઠ અને તેમનાં કુટુંબીઓનો ઉલ્લેખ પાલીતાણામાં આવેલ મૂળનાયક શ્રી આદીશ્વરદાદાના પરિકરમાંની મૂર્તિઓના શિલાલેખમાં જોવા મળે છે, કારણ કે આ પરિકર શ્રી શાંતિદાસ શેઠે ભરાવેલ હતું.
તેમના વ્યક્તિત્વમાં ત્રણ પાસાંઓનો સુભગ સમન્વય થયેલો જોવા મળે છે. રાજકીય પાસું, સામાજિક પાસું અને ધાર્મિક પાસું. આ ત્રણેય પાસાંઓ તેમના વ્યક્તિત્વમાં એકબીજા સાથે એવા ઘનિષ્ઠ રીતે સંકળાયેલાં છે કે તેમાંનાં કોઈપણ એક પાસાને સંપૂર્ણ રીતે સમજવા જતાં બીજાં બે પાસાંઓને આવરી લેવાં પડે છે.
તેઓ મૂળ ક્ષત્રિય રાજવંશમાંથી આવેલ હોવાથી તેમના વ્યક્તિત્વમાં ક્ષાત્ર-તેજનો ગુણ જોવા મળે છે. તેઓ જ્ઞાતિએ ઓશવાળ હોવાથી ‘ઓશવાળ-ભુપાળ’ એ ઉક્તિને સાર્થક કરે તેવા રાજતેજના ગુણ પણ તેમનામાં જોવા મળે છે. આ રાજતેજને કારણે જ તેઓ સર્વમાન્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org