________________
૧૮૮
રાજનગરનાં જિનાલયો
જિનપ્રતિમા તથા ભણશાળી કિકાએ પ૭ આંગળની એક જિનપ્રતિમા ઉપરાંત બીજી ઘણી જિનપ્રતિમાઓ એમ કુલ ૧૫૦ જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા સંવરી શ્રાવકોએ કરી હતી. એ પ્રતિમાઓ પૈકીમાંની મોટા ભાગની પ્રતિમાઓ ઘાંચીની પોળના ભણશાળી દેવા દ્વારા નિર્માણ થયેલા જૈન દેરાસરમાં તથા તેના ભોંયરામાં વિદ્યમાન છે. ઉપરાંત શાહ તેજપાલે સં. ૧૬૭રમાં ચોમાસામાં ખંભાતથી અમદાવાદ આવી ભણશાળી દેવાના આ જિનપ્રાસાદમાં ભગવાન શાંતિનાથની પ્રતિમાના પરિકરની પ્રતિષ્ઠા કરી હતી. કડવા મતના સંઘે સ્વામી વાત્સલ્ય કર્યું. ભણશાળી જીવરાજ તથા ભણશાળી દેવાએ સૌને વસ્ત્રોની પ્રભાવના કરી.
સં. ૧૯૭૫માં ભણશાળી દેવાએ અમદાવાદના બધા ગચ્છોમાં “નવકાર” મંત્ર ગણનારાઓને ૧ જામી અને મોદકની લહાણી કરી. તેણે કડવા મતના સૌ જૈનોને એકેક ગદિયાણા ભાર સોનાના વેલિયા આપ્યા હતા, આ પ્રમાણે મોટી પ્રભાવના કરી હતી.૧૦
રાજીયા-વજીયા
(સં. ૧૯૫૭) રાજીયા અને વજીયા નામના બે ભાઈઓ પારેખ અટક ધરાવતા હતા. તેઓ કાવના વતની હતા. પણ ખંભાત વેપાર નિમિત્તે સ્થાયી થયા હતા. તેઓનો વેપાર ઘણો બહોળો હતો. તે સમયે ગોવાના ફિરંગી ગવર્નર પર તેમની લાગવગ ભારે હતી. ખંભાતમાં ચિંતામણિ પાર્શ્વનાથનું મંદિર વિ. સં. ૧૬૪૪ની આસપાસ તેઓએ કરાવ્યું હતું. આચાર્ય વિજયસેનસૂરિ દ્વારા તેની પ્રતિષ્ઠા થઈ હતી. તેઓએ સં૧૬૫૭માં અમદાવાદની કોઠારી પોળમાં શાહ ઠાકરશીના ભગવાન સંભવનાથની પ્રતિષ્ઠામાં ભરાવેલી ભગવાન ઋષભદેવની ૩૭ આંગળની પ્રતિમા પધરાવી હતી.'
તેજપાલ
(સં. ૧૬૮૧ની આસપાસ) સં. ૧૬૮૧ની આસપાસ તેજપાલ નામનો એક શ્રેષ્ઠી થઈ ગયો, જે શિરોહીમાં રહેતો હતો. અને તેના રાજાનો મહામાત્ય હતો. તે તપાગચ્છનાં ૬૦મા ભટ્ટારક વિજયદેવસૂરિ (સં. ૧૬૫૬ થી સં. ૧૭૧૩)નો પરમ ભક્ત હતો. તેણે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો. તે સમયે સૌ ભટ્ટારકો, આચાર્યો, ઉપાધ્યાયો, પંન્યાસ તથા સાધુઓ વગેરેની સોના-રૂપા નાણાથી નવાંગી પૂજા કરી હતી સં૧૬૮૧ના પ્ર. ચૈત્ર સુ. ૯ને રવિવારે તેમણે અમદાવાદમાં તપાગચ્છના દેવસૂરસંઘ અને આનંદસૂરસંઘની બંને શાખાઓનો ભેદ મટાડી એક કરવાનો પ્રયત્ન કર્યો. આથી સંઘે મોટો ઉત્સવ કરી તેજપાલને “ગચ્છભેદનિવારણ તિલક' અને સંઘપતિનું તિલક કર્યું હતું.",
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org