________________
રાજનગરનાં જિનાલયો
૧૮૭
ઉપરની પંક્તિઓથી સ્પષ્ટ થાય છે કે રાજનગર-અમદાવાદમાં દોશી સોમકરણ મનિયા અને ખંભાતના રાજિયા-વજિયા પારેખે ભટ્ટા-વિજય આનંદસૂરિનો સ્વતંત્ર ગચ્છ સ્થાપવામાં મુખ્ય ભાગ લીધો હતો.
સોમકરણ દોશીના વંશજો શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે. તેમના વંશજોના હાથમાં આજે પણ જ્ઞાતિની શેઠાઈ છે. એ વંશની વંશાવલી આ મુજબ છે. ૧. દોશી રંગા
૮. શેઠ જોઈતારામ ૨. દોશી લહુઆ
૯. શેઠ અમરચંદ ૩. દોશી પનિયા
૧૦. શેઠ રાયચંદ ૪. દોશી મનિયા
૧૧. શેઠ મોહોલ્લાલ ૫. દોશી સોમકરણ
૧૨. શેઠ સાંકળચંદ ૬. શેઠ સૂરજમલ-તે દોશી સોમકરણનો પુત્ર હતો ૧૩. શેઠ મયાભાઈ ૭. શેઠ જેઠચંદ ,
માયાભાઈનો જન્મ સં. ૧૯૪૬ના પ્ર. ભા. સુ. ૧ના રોજ થયો હતો. શેઠ માયાભાઈ અમદાવાદની વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ હતા. તથા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના માનદ વહીવટદાર સભ્ય હતા. તેઓ સં. ૨૦૦૬ના પ્રઅ. વ. ૬ (તા. પ-૭-૧૯૫૦)ની વહેલી સવારે ૬૦ વર્ષની ઉંમરે શ્રી શત્રુંજય તીર્થનું ધ્યાન કરતાં કરતાં સમાધિપૂર્વક મરણ પામ્યા હતા. તેમને ત્રણ પુત્રો-૧. નરોત્તમભાઈ ૨. કસ્તુરભાઈ ૩. કલ્યાણભાઈ હતા. શેઠ મયાભાઈના મરણ પછી તેમના કુટુંબના શ્રી ચારુભાઈ ભોગીલાલ હાલમાં વીશા શ્રીમાળી જ્ઞાતિના શેઠ છે. અને આણંદજી કલ્યાણજી પેઢીના સભાસદ છે. ઉપરાંત, પાનસર જૈન તીર્થના વહીવટદાર ટ્રસ્ટી છે.*
ભણશાળી દેવા
(સં. ૧૬૪૫ થી સં. ૧૬૭૫) ભણશાળી દેવાએ સં. ૧૯૬૧માં અમદાવાદથી છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. તે સમયે કડવા મતનો પ્રભાવ અમદાવાદમાં વધ્યો હતો. તે પરંપરાના સંવરી રત્નપાલ, સંવરી જિનદાસ, શાહ તેજપાલ વગેરે અગિયાર સંવરીઓ ભણશાળી દેવાના આ સંઘ સાથે યાત્રાએ ગયાં હતા. આ સંઘ આબુ, ગોડવાડ, રાણપુર વગેરે તીર્થોએ ગયો હતો.
કડવા મતની પરંપરાના ૭મા શા. જિનદાસના ઉપદેશથી સં. ૧૬૬૩ના ફાવ. ૧ના રોજ ભણશાળીદેવાએ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. તેમાં ભણશાળી દેવાએ ભગવાન ઋષભદેવની ૮૫ અંગુલની એક પ્રતિમા તથા ભણશાળી જીવાએ પ૭ આંગળની એક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org