________________
૧૮૪
રાજનગરનાં જિનાલયો પ્રતિષ્ઠા કરાવી હતી.
તે તપાગચ્છીય શ્રાવક હતો. આચાર્ય શ્રી વિજયદાનસૂરિએ મહો. શ્રી ધર્મસાગરગણિના કુમતિમુદ્રાલ” ગ્રંથને અપ્રામાણિક જાહેર કર્યો હતો. ત્યારબાદ મહો, ધર્મસાગરગણિ અમદાવાદ પધાર્યા ત્યારે મંત્રી ગલરાજ મહેતાએ તેમની નવી પ્રરૂપણાને ટેકો આપ્યો તેમ જ એ નવી પ્રરૂપણાના પક્ષકાર તરીકે ઉપાઠ રાજમલ ગણિવર વગેરેની સાથે અનૌચિત્ય પૂર્ણ વ્યવહાર કર્યો. ઉપરાંત, મહો, ધર્મસાગરજીગણિને સંઘ બહાર મૂકવામાં આવ્યા. મંત્રી ગલરાજ એક પ્રભાવક જૈન અગ્રણી હતો. પરંતુ આ ઘટનામાં પક્ષકાર બનવાથી તેની મહત્તા સદાયને માટે ઘટી ગઈ.
તેના નામ સાથે જોડાયેલી હાજાપટેલ પોળમાંની ગલા મહેતાની પોળ-ગલામજીની પોળ, આજે પણ વિદ્યમાન છે. જો કે તે સમયે ગલા મનજીની પોળનો ઉલ્લેખ દોશીવાડાની પોળમાં થતો હતો. આજે પણ દોશીવાડાની પોળ અને ગલામનજીની પોળ વચ્ચે તથા દોશીવાડાની પોળ અને શાંતિનાથની પોળ વચ્ચે અવરજવર થઈ શકે તેવી બારી કે બારણું છે. દોશીવાડાની પોળ અને પાછિયાની પોળ પણ એકબીજાની સાથે જોડાયેલી છે. અને આજે પણ એક મકાનનો આગળનો મુખ્ય દ્વાર પાછીયાની પોળમાં અને પાછળનો દ્વાર દોશીવાડાની પોળમાં આવેલો છે.
લટકણ શાહ-મૂલા શેઠ-વીપા પારેખ
(સં. ૧૬૦૦-સં૧૯૨૦ની આસપાસ) અન્ય કેટલાક શ્રેષ્ઠીઓ પણ થઈ ગયા, કે જેઓએ રાજનગરમાં જૈન શાસનની પ્રભાવના વધે તે માટે નોંધપાત્ર યોગદાન કર્યું છે.
સં. ૧૬૦૦ની આસપાસ ચાંપાનેરવાસી ઓશવાલ જ્ઞાતિના શાહ લટકણનો ઉલ્લેખ જૈન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. આજે હયાત શામળાની પોળનું નામ “લટકણ શાહની પોળ' હતું.
સં. ૧૯૨૦ની આસપાસ મૂલાશેઠ અને વિપાપારેખનો ઉલ્લેખ પણ જૈન ગ્રંથોમાં મળી આવે છે. મૂલાશેઠ અને વિપાપારેખે અમદાવાદમાં મોટો ઉત્સવ કર્યો હતો, જેમાં શ્રી વિજયસેનસૂરિને આચાર્ય પદવી આપવામાં આવી હતી.”
દોશી મનિયાનો વંશ
(સં. ૧૬૪૦ થી સં. ૧૭૧૧) ૧. દોશી રંગા ૨. દોશી લહુઆ (લવજી) ૩. દોશી પનિયા (પનજી)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org