SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૮૩ મહાતીર્થનો એક મોટો સંઘ કાઢ્યો હતો અને સંઘપતિનું તિલક ધારણ કર્યું હતું. ઉપરાંત પોતાના પિતા સોમજી અને કાકા શિવજી દ્વારા જે આદિનાથના ચૌમુખી જિનાલયના નિર્માણનો પ્રારંભ થયો હતો, તે કાર્ય રૂપજીએ પૂર્ણ કર્યું અને સં. ૧૯૭૫માં ભારે ધામધૂમથી શ્રીમદ્ જિનરાજસૂરિના શુભ હસ્તે પ્રતિષ્ઠા કરાવી. શત્રુંજય તીર્થ પર આદિનાથ ચૌમુખજીનું મંદિર “શ્રી શિવા સોમજીની ટૂંક”ના નામથી આજે પણ પ્રસિદ્ધ છે. “મિરાતે અહમદી'માં જણાવ્યા મુજબ તે સમયે આ ટૂંક બનાવવાનો ૫૮,૦૦,૦૦૦ (અઠ્ઠાવન લાખ) રૂપિયાનો ખર્ચ થયો હતો. એમ કહેવાય છે કે ટૂંકના નિર્માણ માટે જે મોટા અને મજબૂત દોરડાનો ઉપયોગ થયો હતો તેનો ખર્ચ જ તે સમયે રૂ. ૮૪ હજારનો થયો હતો. મંત્રી ગલા મહેતા | (સં. ૧૫૯૪ થી સં. ૧૬૨૮) મંત્રી ગલરાજ અમદાવાદનો વતની હતો. દિશાવાળ જ્ઞાતિના મંત્રી દોશી વણાઈગનો પુત્ર હતો. તેને મંગુ નામે પત્ની અને વીરદાસ નામે પુત્ર હતો. મંત્રી ગલરાજ અમદાવાદના ૧૧મા બાદશાહ મહમદ (ચોથો)નો (સં. ૧૫૯૪થી ૧૬ ૧૦) મંત્રી હતો. ત્યારબાદ ૧૨મો બાદશાહ અહમદ અને ૧૩મો બાદશાહ મુઝફર બીજાનો પણ તે મંત્રી હતો. આમ, સં. ૧૫૯૪ થી સં. ૧૬૨૮ દરમ્યાન અમદાવાદના ત્રણ બાદશાહોના મંત્રી તરીકે તેણે કાર્યભાર સંભાળ્યો હતો. બાદશાહે તેને “મલેક મગદલ'નું બિરુદ આપ્યું હતું. એક મોટા વજીર લેખે તેના હાથ નીચે ૫૦૦ ઘોડેસવાર હબસીઓની સેના હતી. તે વિજયદાનસૂરિનો ભક્ત હતો. મંત્રી ગલરાજે સં. ૧૬૧૮માં મહોપાધ્યાય ધર્મસાગરજીનો અમદાવાદમાં પ્રવેશ મહોત્સવ કર્યો હતો, જેમાં ૨૦૦૦ નાળિયેર તથા જુદી જુદી વસ્તુઓની પ્રભાવના કરી હતી. મહો. ધર્મસાગરના વ્યાખ્યાનમાં ૫૦૦થી વધુ શ્રોતાઓ આવતા હતા. મંત્રી ગલરાજે મહો. ધર્મસાગરને અમદાવાદમાં ચોમાસું કરાવ્યું. પાટણના શેઠ શિવજી, મહોપાધ્યાયજીને વંદન કરવા અમદાવાદ આવ્યા હતા. ત્યારે મંત્રી ગલરાજ અને શેઠ શિવજી વચ્ચે ગાઢ ધર્મપ્રેમ બંધાયો હતો. | વિજયદાનસૂરિના ઉપદેશથી બાદશાહને સમજાવી શત્રુંજય તીર્થનો છ મહિના સુધી મુક્તાઘાટ' કરાવ્યો હતો. એટલે કે લાગાન, વેઠ, વેરા, યાત્રાકર વગેરે માફ કરાવ્યા હતા. અને ગામેગામથી જૈન સંઘોને એકઠા કરીને સંઘપતિ બનીને શત્રુંજયનો છરી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. આ રીતે તેણે સૌને તીર્થયાત્રા કરાવી હતી. મંત્રી ગલરાજે સં૧૯૨૦ના વૈશાખ મહિનામાં ગુરુવારે શત્રુંજયમાં ભગવાન આદીશ્વરની દેવકુલિકા બનાવી અને ભટ્ટારક વિજયદાનસૂરિ અને હિરવિજયસૂરિના હાથે તેની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy