SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ રાજનગરનાં જિનાલયો દેવધર શ્રીમાળી અને તેના વંશજો (સં. ૧૫૩થી સં. ૧૫૬૮) શાહ દેધર શ્રીમાળી જ્ઞાતિનો હતો. તેનું બીજું નામ દેવધર પણ મળે છે. આચાર્ય લબ્ધિસાગરના ઉપદેશથી અને પં. ગુણસાગર તેમ જ પં. ચારિત્રવલ્લભની પ્રેરણાથી શાદેવધર શ્રીમાળીના વંશમાં થયેલા સાધુ ચોથાએ સં. ૧૫૬૮માં અમદાવાદમાં ગ્રંથભંડાર સ્થાપન કર્યો તથા ૪૫ આગમો લખાવ્યા. એ જ વંશના શા. મેઘાની પુત્રી લાડકીના પુત્ર સોનપાલે કાર્તિક સુદિ પના દિવસે જૈન ગ્રંથભંડાર સ્થાપન કર્યો, જેમાં સુવર્ણાક્ષરી પ્રતિઓ પણ લખાવી હતી. સંઘવી મેઘો અમદાવાદમાં રહેતો હતો. તે મોટો દાની હતો. તે તપાગચ્છનો શ્રાવક હતો. તેણે સં૧૫૩૯ના શ્રાવણ વદ ૯, બુધવારે અમદાવાદમાં વડગચ્છના ૩૮મા આચાર્ય નેમિચંદ્રસૂરિના “પ્રવચન સારોદ્ધાર”નું રાજનગરના ૧૩મા આચાર્ય ઉદયપ્રભસૂરિએ બનાવેલ ટિપ્પણ “વિષમ પદાર્થાવબોધ” ગ્રહ ૩૨૦૩ની પોતાને હાથે પ્રત લખી હતી. આ પ્રત અમદાવાદમાં શ્રી જૈન પ્રાચ્ય વિદ્યાભવનના “શ્રી ચારિત્ર વિજયજી જૈન જ્ઞાનમંદિર”માં સુરક્ષિત છે. સોનપાલે અમદાવાદમાં રંગમંડપવાળું મોટું દેરાસર બનાવી પ્રતિષ્ઠા કરાવી હતી. (એ દેરાસર કયા વિસ્તારમાં હતું તેનો નિર્ણય થઈ શકતો નથી.) ઉપરાંત, સોનપાલે શત્રુંજય તીર્થ, ગિરનાર તીર્થના છરી પાળતા યાત્રાસંઘો કાઢ્યા. વળી આબુ તીર્થની યાત્રા કરી ઘણું માન મેળવ્યું હતું.", શિવા-સોમજી-રૂપજી (સં. ૧૫૬૨ - સં. ૧૬૭૫) આચાર્ય જિનચંદ્રસૂરિના ઉપદેશથી અમદાવાદમાં શિવા અને સોમજી નામના બે ભાઈઓએ ધર્મકાર્યો માટે ખૂબ જ ધન વાપરી દાનની સરિતા વહેવડાવી હતી. અગાઉ શિવા અને સોમજી ગરીબ સ્થિતિના હતા અને પરચૂરણ શાકભાજીનો-ચીભડાનો ધંધો કરતા હતા. ખડતરગચ્છીય શ્રીમદ્ જિનચંદ્રસૂરિના ઉપદેશથી તેઓએ ચીભડાનો ધંધો છોડી દીધો. અને શ્રાવકને યોગ્ય બીજો ધંધો શરૂ કર્યો. થોડાક જ વર્ષોમાં તેઓએ પુષ્કળ દ્રવ્ય ઉપાર્જિત કરી લીધું અને ખૂબ જ ધનવાન બન્યાં. તેઓએ ઘણાં જૈનમંદિરો બંધાવ્યાં, અનેક જૈન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તથા ઘણા ગ્રંથો તૈયાર કરાવડાવ્યા. તે બંને ભાઈઓએ શત્રુંજય તીર્થ પર શ્રી આદિનાથનો ચૌમુખી જિનપ્રાસાદ બનાવવાનો આરંભ કર્યો હતો. પરંતુ તેઓની હયાતીમાં તેની પ્રતિષ્ઠા થઈ શકી નહીં. સોમજીના પુત્રનું નામ રૂપજી હતું. જહાંગીરના શાસનકાળ દરમ્યાન રૂપજીએ શત્રુંજય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy