________________
રાજનગરનાં જિનાલયો
કેલ્સે
(સં. ૧૫૨૦ની આસપાસ)
શાહ કેલ્કેનો સમય સં ૧૫૨૦ની આસપાસ છે. તે પોરવાડ જ્ઞાતિનો હતો. તેણે ગિરનાર પર ત્રણ દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો. તેણે અમદાવાદમાં એક ધર્મશાળા બનાવી હતી તથા પાંચ દેરાસર કરાવ્યાં હતાં. ઉપરાંત, તેણે મુનિ ભગવંતોને પંન્યાસ પદ અપાવ્યાં, મુનિઓને વસ્ત્રો વહોરાવ્યાં, સાધર્મિક-વાત્સલ્ય કર્યા, સિદ્ધાંતગ્રંથો લખાવ્યા, સં. ૧૫૧૯માં ‘પાક્ષિસૂત્ર વૃત્તિ’ લખાવી હતી.
મંત્રી ગદરાજ
(સં. ૧૫૨૫ થી સં ૧૫૪૦)
૧૮૧
ગદરાજ અમદાવાદના બાદશાહ મહમૂદ બેગડાનો મંત્રી હતો. મંત્રી હોવાને કારણે જૈન શાસનનો પ્રભાવ વધે તેવાં અનેક મંગલ કાર્યો તેના દ્વારા થયાં હતાં. તેના પિતા સુંદરજી પણ મંત્રી હતા. મંત્રી ગદરાજનાં બીજાં નામો ગદા અને ગદાક પણ મળે છે. તે ધર્મપ્રેમી હતો. સં. ૧૫૨૫થી ૧૫૪૦ દરમ્યાન જૈન શાસનનો પ્રભાવ વધારવામાં તેણે કરેલું યોગદાન ખૂબ જ નોંધપાત્ર છે. મંત્રી ગદરાજ ૧૨૦ મણ પિત્તળનું ઋષભદેવનું બિંબ કરાવી આબુના ‘ભીમ વિહાર'માં પ્રતિષ્ઠિત કરાવવા સંઘ લઈ ગયો હતો. ત્યાં આચાર્ય સોમજયસૂરિ પાસે સં૰ ૧૫૨૫માં ઋષભદેવનું તે બિંબ અને બીજી મૂર્તિઓ પણ ભીમ પ્રાસાદમાં પ્રતિષ્ઠિત કરાવી હતી.
અમદાવાદમાં આચાર્ય સોમદેવસૂરિના ઉપદેશથી મોટો ગ્રંથભંડાર બનાવ્યો. સોઝીત્રક (સોજીત્રા)માં તે સમયે ત્રીસ હજાર ક્રમ ટંકનો ખર્ચ કરી નવું જૈન મંદિર કરાવી, તેમાં આચાર્ય સોમદેવસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી હતી.
વિ. સં. ૧૫૩૯-૪૦માં ગુજરાત અને માળવામાં મોટો દુકાળ પડ્યો હતો. અમદાવાદના ગુર્જર શ્રીમાળી મંત્રીઓ સુંદર તથા ગદરાજે સ્થાને-સ્થાને પાણીની પરબો અને દાનશાળાઓ બેસાડીને પ્રજાને મોટી મદદ કરી હતી. મંત્રી ગદરાજને શ્રીરંગ નામે પુત્ર હતો. મંત્રી ગદરાજ દર ચૌદશના દિવસે ઉપવાસ અને સાધર્મિક ભક્તિ કરતો હતો. મંત્રી ગદરાજને સાસુ નામે પત્ની હતી. પં. અનંતકીર્તિગણિએ સં ૧૫૨૮માં સંઘવણ સાસુને ભણવા માટે “શીલોપદેશમાલાની પ્રતિ” લખી હતી.
Jain Education International
ભટ્ટાક લક્ષ્મીસાગર સૂરિએ મંત્રી ગદરાજ શ્રીમાલીના અમદાવાદના જિનાલયની પ્રતિષ્ઠા કરી હતી. આ જિનાલયનું સ્થળ તથા તેના મૂળનાયક ભગવાન અંગેની વધુ વિગતો પ્રાપ્ત થઈ. શકી નથી. તે અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org