SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ રાજનગરનાં જિનાલયો રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ મંત્રી ગુણરાજ (સં. ૧૪૪૫) સંઘવી ગુણરાજ અમદાવાદના બાદશાહ અહમદનો માનીતો હતો. તે ઓશવાલ જ્ઞાતિનો હતો. તેના પિતાનું નામ ચાચ હતું. આ ચાચ આશાપલ્લી-કર્ણાવતીનો શ્રેષ્ઠી હતો. ગુણરાજના પિતા ચાચે આશાપલ્લીમાં સં. ૧૪૬૫ પહેલાં જિનપ્રસાદ કરાવ્યો હતો. ચાચની બીજી પત્ની “મુકતાદેવીથી ગુણરાજ, આંબા, લીંબાક અને જયતા નામે ચાર પુત્રો થયા હતા. ગુણરાજ આચાર્ય જ્ઞાનસાગરસૂરિ અને આચાર્ય સોમસુંદરસૂરિનો ભક્ત હતો. તે પાતશાહનો સુવર્ણશાલી (ઝવેરી) હતો. તેણે સં. ૧૪૫૭માં પહેલી અને સં. ૧૪૬રમાં બીજી શેત્રુંજય રૈવતાચલની મહાતીર્થ યાત્રા કરી. ગુણરાજના ભાઈ આંબાકે સં. ૧૪૪પની આસપાસ આચાર્ય સોમસુંદરસૂરિ પાસે દીક્ષા લીધી હતી. અને તેમનું નામ મંદિર–ગણિ પાડવામાં આવ્યું હતું. આચાર્ય ભગવંતોનો નગર પ્રવેશ-મહોત્સવ અને દીક્ષા મહોત્સવ આ સમયે અમદાવાદમાં પહેલ-વહેલો થયો હતો. તેમને મુનિ સુંદરગુરુએ સં. ૧૪૬૫માં પાઠક પદ આપ્યું. સં. ૧૪૬૮ના દુકાળમાં ગુણરાજે સત્રાગાર કાઢીને દીનજનોનું રક્ષણ કર્યું. સં૧૪૭૦માં સોપારકની તીર્થયાત્રા કરી. વળી, જીરાવલ્લી અને અરબુદ (આબુ)ની તીર્થયાત્રા કરી. પછી દસ દેવાલય સહિત સોમસુંદરસૂરિને સાથે લઈ પાતશાહના ફરમાન મેળવી એક મોટા સંઘના પતિ તરીકે સં. ૧૪૭૭માં ત્રીજી વિમલાચલની યાત્રા કરી. મહુવામાં આ સંઘપતિએ ઉત્સવપૂર્વક જિનસુંદરની સૂરિ-પ્રતિષ્ઠા કરાવી. પછી રૈવત પર્વતની યાત્રા કરી. તથા તેમણે અનેક કેદીઓને છોડાવ્યા. રત્નો અને ધરણ નામના બે ભાઈઓ નાંદિયામાં રહેતા હતા. ત્યારબાદ તેઓએ ધાનેરાવ આવીને કાયમી વસવાટ કર્યો. ધરણા શાહ ચિત્તોડના રાણા કુંભાજીનો પ્રીતિપાત્ર હતો. તેણે અમદાવાદના સંઘવી ગુણરાજની મદદથી બાદશાહ અહમદશાહનાં ફરમાન મેળવી શત્રુંજય તીર્થનો છ'રી પાળતો યાત્રાસંઘ કાઢ્યો હતો. ઉપરાંત, રાણા મોકલસિંહે સં. ૧૪૮૫માં સંઘપતિ ગુણરાજ પાસે ચિત્તોડ પરના જૈને કીર્તિસ્તંભનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો.' શ્રીમાળ દેવા (સં. ૧૫૦૮ થી સં. ૧૫૩૮) સં. ૧૫૩૮માં તપાગચ્છીય લક્ષ્મીસાગરસૂરિ અને સોમજયસૂરિના ઉપદેશથી અમદાવાદના શ્રીમાલ દેવાએ “જ્ઞાન કોશ' લખાવ્યો. તે પૈકી પન્નવણાસૂત્રની પ્રત આજે પણ વિદ્યમાન છે. શ્રીમાલ દેવાના એક ભાઈ સદાએ ઘણાં પુણ્ય કાર્યો કર્યા હતાં. સદાએ પાદશાહ મહમૂદનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. સં૧૫૦૮માં સદાએ સત્રાગાર માડ્યું હતું. શ્રીમાલ દેવા અમદાવાદમાં જ રહેતો હતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy