SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ રાજનગરનાં જિનાલયો વજીરપુર વજીરપુર સાબરમતીના સામે પારના વિસ્તારમાં આવેલું હતું. આ વજીરપુરનું સ્થાન ચોક્કસપણે નક્કી થઈ શકતું નથી. પરંતુ નદી પાર વાડજથી માદલપુર સુધીના માર્ગ પર કોઈ સ્થળે હશે એવો સંભવ છે. વજીરપુરમાં શ્રી વિમલનાથજીનું જિનાલય હતું જેમાં ભોંયરું પણ હતું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ અમદાવાદમાં વજીરપુરમાં આવ્યા હતા એવો ઉલ્લેખ છે. ઉપરાંત આ વજીરપુરમાં પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય પણ હતું. આચાર્ય શ્રી હીરવિજયસૂરિ વજીરપુરમાં આવ્યા હતા તે ઉલ્લેખ નીચે મુજબ પ્રાપ્ત થાય છે. " श्री गुरु अहिमदावादि वजीरपूर नगरई आव्या" સં. ૧૯૮૯માં અમદાવાદમાં (વજીરપુરમાં) પિતા-પુત્રની દીક્ષા થઈ હતી. પુત્રનું નામ કુશલ વિજય રાખવામાં આવ્યું હતું તેવો ઉલ્લેખ પણ મળે છે." કોચરબ, શેખપુર, માદલપુર સુલતાન મહમૂદ બેગડાના પીર (ગુરુ) શેખ અઝીઝુલ્લાના પુત્ર શેખ રહેમતુલ્લાના નામ પરથી “શેખપુર' નામ પ્રસિદ્ધિમાં આવ્યું છે. આ પરાંની જમીન એલિસબ્રિજ પાસે આ નામે ઓળખાય છે તેવો ઉલ્લેખ “ગુજરાતનું પાટનગર : અમદાવાદ ગ્રંથમાં શ્રી રત્નમણિરાવ જોટેએ કર્યો છે. આજે નવરંગપુરાના કેટલાક વિસ્તારો શેખપુર-ખાનપુરથી સરકારી રેકોર્ડમાં દર્શાવવામાં આવે છે. તે પરથી શેખપુર સાબરમતી નદીને સામે પાર મીઠાખળીથી કોચરબ તથા તેની આસપાસના વિસ્તારમાં અસ્તિત્વ ધરાવતું હશે એવું પ્રતીત થાય છે. માદલપુર એ અગાઉ ઇદલપુરિથી પણ ઓળખાતું હતું. શેખપુરમાં શાંતિનાથજીનું જિનાલય, માદલપુરમાં (મંદલપુરી) આદિનાથજીનું જિનાલય તથા કોચરબમાં આદિનાથજીનાં જિનાલય હતાં. [‘હીરવિજયસૂરીશ્વર યુગપ્રધાનવતાર' ગ્રંથમાં એવો ઉલ્લેખ મળે છે કે સં૧૯૪૧ના વૈશાખ સુદ બીજને બુધવારે માદલપુરમાં પં. રાજસાગરગણિ વિદ્યમાન હતા.] શ્રીમદ્ યશોવિજયજીએ સં. ૧૭૩૩માં અમદાવાદ પાસે ઇન્દલપરામાં દોઢસો ગાથાનું સ્તવન રચ્યું હતું. આ ઈન્દલપરાએ પણ ઇદલપુરી-મેંદલપુરી-માદલપુર માટે જ વપરાતું નામ હશે તેવો તર્ક થઈ શકે તો માદલપુરમાં સં. ૧૭૩૩ સુધી જૈન વસ્તી હશે તેવું અનુમાન કરી શકાય. “શ્રી રાજસાગરસૂરિ નિર્વાણ રાસ'માં શાંતિદાસ શેઠના વખતનું જૈન સમુદાયનું ઉત્તમ વર્ણન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં જૈન વસ્તી વધુ હોય તેવા પરાંના નામ પણ એમાં આપેલા છે. તેમાં ઈદલપુર તથા શેખપુરનો ઉલ્લેખ નીચે મુજબ થયેલો છે : “અલદ ઇદલપુરા શેખપુર સુખકરા, ફાર કુરમાન કુરમાન વાડી.” સાબરમતી નદીના કાંઠે જૈન મરચન્ટ સોસાયટીના ઢાળથી એકાંત જગ્યાએ એક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy