SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો કરે છે. ટૂંકમાં, અમારી માન્યતા પ્રમાણે જતિપુર એ જઈપુરના નામથી ઓળખાતી હશે. જો કે આ અંગે વધુ સંશોધન કરવાની જરૂર છે. ૧૫૬ જઈપુરિમાં આદિનાથ ભગવાનના બે અને શાંતિનાથ ભગવાનનું એક જિનાલય એમ કુલ ત્રણ જિનાલય હતાં. જેતલપુર ગામ પાસે એક સુંદર મોટું તળાવ અને એક ખંડેર થયેલો કિલ્લો આજે પણ હયાત છે. તળાવની પાસે જીતબાગ નામે એક સુંદર વિશાળ બગીચો હતો. નવાપુરા નવાપુરા અમદાવાદ શહેરની બહાર શાહઆલમના રોજા તરફ હતું. તેનું બીજું નામ ‘નવીન પુર’ મળે છે. નવાપુરામાં / સુમતિનાથ ભગવાનનું દેરાસર હતું. તપાગચ્છીય ૬૧મા આચાર્ય વિજયસિંહસૂરિનું સં. ૧૭૦૮ના અષાઢ સુદિ ૨ના રોજ અમદાવાદના નવીનપુરમાં (નવા પુરમાં) સ્વર્ગગમન થયું હતું. ‘વિજયસિંહ સૂરિ નિર્વાણ રાસ'માં નવાપુરનો ઉલ્લેખ નીચે મુજબ મળે છે. “નવાપુરઈ પધા૨ીઓ, શ્રી તપાગચ્છ સુરતાણ રે.” * રાજપુર/રાજપરા રાજપુરમાં આશરે ચારસો વર્ષ અગાઉ પણ ચાર દેરાસરો હતાં. નમિનાથ, શીતલનાથ, આદિનાથ તથા મહાવીર સ્વામી ભગવાનનાં દેરાસરો હતાં. તેમાં શીતલનાથ ભગવાન ભોંયરાવાળા દેરાસરમાં હતા. રાજપરામાં જૈનોની ઘણી વસ્તી હતી. સં. ૧૬૦૮માં તપાગચ્છીય આચાર્ય શ્રીમદ્ સોમવિમલસૂરીશ્વરજી મહારાજે રાજપુરમાં ચાતુર્માસ સ્થિરતા કરી હતી. આચાર્ય સોમવિમલસૂરિએ સં. ૧૬૩૩માં અમદાવાદના રાજપરામાં ‘ક્ષુલ્લક કુમાર રાસ' ગ્રંથની રચના કરી હતી. “તિહાં પુર છઈ પવિત્ર અનેક, સિર રાજપુર સુવિવેક, તિહાં રચી રાસ રસાલ, જે ગાતાં સુખ વિશાલ,’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy