________________
રાજનગરનાં જિનાલયો
૧૫૫
એમ કુલ ચાર જિનાલયોનો ઉલ્લેખ થયેલો છે. “અરિષ્ઠ નેમિ પ્રાસાદનો ઉલ્લેખ તે અગાઉ આશરે ૧૩મા સૈકા દરમ્યાન પ્રાપ્ત થાય છે. આમ, જૈનશાસનનો તે વિસ્તારમાં એક ભવ્ય ભૂતકાળ પ્રવર્તમાન હતો.'
ઈલંપુરિટેઈલમપુરિઅલીમપુર ઈલપુર અથવા અલીમપુર એક સમૃદ્ધ પરું હતું. ખુદાવંદખા મલિક અલીમ નામના અમીરે રસૂલાબાદ (શાહઆલમ) પાસે આ પરું વસાવ્યું હતું. અલીમનો અર્થ જ્ઞાની થાય છે. આ અલીમપુર અથવા ઈલમપુરમાં મરાઠા રાજ્યકાળ સુધી વસ્તી હતી. હાલ નવા પરાના નામે જે વિસ્તાર જાણીતો છે ત્યાં બહુચરાજીની પશ્ચિમે ઇલમપુરની હદ શરૂ થતી હતી.
ત્યાં શાંતિનાથ, અજિતનાથ તથા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનાં દેરાસરો હતાં.
આ પરાંનો જૈન કાવ્યોમાં ઉલ્લેખ આવે છે અને આશાવલ્લી સાથે જ એનો ઉલ્લેખ થતો રહ્યો છે. જૈનોની વસતિ આ પરામાં અને તેની આસપાસ ઘણી હશે તેમ માનવાને પૂરતા પુરાવાઓ પ્રાપ્ત થાય છે. “વિજયસિંહસૂરિ નિર્વાણ રાસ'માં નીચે મુજબ આ પરાં વિશે ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
“ગુરુ બોલાવી આવીઓજી, અસાવલીપુર માંહી, ઈલમપુર માંહિ આવીયાજી, આણી અધિક ઉત્સાહ નવાપુરઈ પધારીઓ, શ્રી તપાગચ્છ સુરતાણ રે.”૨
જઈપુરિજતિપુરિાજેતલપુર અમદાવાદથી સાત કોશ દૂર આવેલાં (આશરે દસ માઈલ દૂર) જેતલપુરનું નામ અગાઉ જતિપુર હતું. અમદાવાદ શહેરના ફોજદારી તાબાનાં સત્તર નાકાં હતાં. જેમાં અમદાવાદની દક્ષિણે વટવા, શાહવાડી, અસલાલી, બારેજા તેમ જ જેતલપુરનો પણ સમાવેશ થતો હતો. આ વિસ્તારમાં મુસ્લિમો અને મરાઠાઓ વચ્ચે યુદ્ધના પ્રસંગો વારંવાર બન્યા હતા અને મુસ્લિમો પાસેથી આ વિસ્તાર પણ મરાઠાઓના કબજામાં આવ્યો હતો. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં જઈપુરિના આદિનાથ તથા શાંતિનાથના જિનાલયનો ઉલ્લેખ જે ક્રમમાં થયો છે તે ક્રમ નીચે મુજબ છે.
અસાઉલિ ઇલંપુરિ > જઈપુરિ ને નવાપુરા આ જે ક્રમ છે તે પણ જતિપુરિ કે જેતલપુરના વિસ્તારની વધુ નજીક હોવાનો નિર્દેશ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org