SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ અસંખ્ય ઉલ્લેખો ઇતિહાસના ગ્રંથોમાં મળી આવે છે. સં. ૧૬૬૨માં અમદાવાદમાં અનેક જૈન મંદિરો વિદ્યમાન હતાં. જેમની સ્થાપના એ અગાઉના બે સૈકા દરમ્યાન થયાના ઉલ્લેખો મળે છે. આ અંગેના આધારભૂત પ્રમાણ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગરમહારાજની ચૈત્ય પરિપાટીમાં પ્રાપ્ત થાય છે. આ ચૈત્ય પરિપાટીમાં સ્થળની દૃષ્ટિએ બે સ્પષ્ટ વિભાગો પાડવામાં આવ્યા છે. રાજનગરનાં જિનાલયો ૧. શહેરની અંદર આવેલાં દેરાસરો ૨. શહેરની બહાર તથા શહેરની આસપાસના પરામાં આવેલાં દેરાસરો. શહેર બહાર પરામાં આવેલાં દેરાસરોમાંનાં મોટા ભાગનાં જૈન દેરાસરો નષ્ટ થઈ ગયાં. જ્યારે શહેરની અંદર આવેલાં દેરાસરોમાંનાં મોટા ભાગનાં દેરાસરો આજે વિદ્યમાન છે. અમદાવાદમાં મુગલ રાજ્ય અમલ દરમ્યાન ઔરંગઝેબે જ્યારે પ્રવેશ કર્યો ત્યારબાદ અનેક જૈન મંદિરો તોડી નાંખવામાં આવ્યાં. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં ૧૬૮૨માં બંધાવેલું સરસપુરનું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર માત્ર વીસ જ વર્ષમાં ઔરંગઝેબ દ્વારા ખૂબ જ ક્રૂર રીતે તોડી નાંખવામાં આવ્યું હતું. તે સમયે પરાવિસ્તારનાં પણ કેટલાંક જૈનમંદિરો તૂટી ગયાં હશે. અમદાવાદના ત્યારપછીના રાજ્યકર્તાઓએ પણ કોટવિસ્તારનું બહારનાં આક્રમણોથી રક્ષણ કર્યું. પરંતુ, પરાંઓની સલામતીની તેઓએ પૂરતી વ્યવસ્થા કરી નહીં કે કરી શક્યા નહીં. તેના પરિણામે તે વિસ્તારોમાં અનેક બાહ્ય હુમલાઓ થયા, વસતિ વેરવિખેર થઈ ગઈ અને ક્રમશઃ ઘણી જ ઓછી થઈ ગઈ. એ વિસ્તારમાં ધંધા-રોજગાર ભાંગી પડ્યા. બાહ્ય હુમલાઓને કા૨ણે મોટા ભાગનાં જિનાલયો નષ્ટ થઈ ગયાં. તે સમયે પરાંઓમાં વસવાટ કરતા જૈન કુટુંબોની મોટા ભાગની વસતિ ત્યાંથી થોડાક માઈલના અંતરમાં નાના-નાના કસબાઓ અને ગામોમાં સ્થળાંતર કરી ગઈ અથવા તો અન્ય બીજાં વધુ સલામત સ્થળોએ સ્થળાંતર કર્યું. જ્યારે કેટલીક વસતિ શહેરના કોટવિસ્તારમાં સ્થાયી થઈ. આમ, તે સમયે શહેરના પૂર્વ વિસ્તારોમાં જૈનોની વસ્તી નહિવત્ રહી. રાજનગરની આસપાસનાં પરાંઓમાંનાં નષ્ટ થયેલાં ભવ્ય જિનાલયોની યાદી મુખ્યત્વે આ પ્રમાણે છે. વિસ્તારનું નામ ૧. અસાલિ/આશાવલ/આશાપલ્લી ૨. ઇલંપુર/ઇલમપુર/અલીમપુર Jain Education International દેરાસર મુનિસુવ્રત સ્વામી, શાંતિનાથ, ભાભાપાર્શ્વનાથ, આદિનાથ, આદિનાથ શાંતિનાથ, અજિતનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy