SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં નષ્ટ થઈ ગયેલાં ચૈત્યો રાજનગરમાં આશરે ચારસો વર્ષ પહેલાં અનેક જૈન દેરાસરો વિદ્યમાન હતાં. અમદાવાદ માટે જૈન સાહિત્ય પરંપરામાં “રાજનગર” નામ વિશેષ પ્રચલિત છે. અગાઉ આશાપલ્લી ત્યારબાદ કર્ણાવતી અને ત્યારબાદ અમદાવાદના નામે પણ રાજનગર ઓળખાય છે. રાજનગરમાં તથા તેની આસપાસનાં પરાંઓમાં ૪૦૦ વર્ષ અગાઉ અનેક જૈનમંદિરો વિદ્યમાન હતાં. આશાપલ્લી નગરી આજના જમાલપુર દરવાજા બહાર કેલિકો મિલના પાછળના ભાગના વિસ્તારથી શરૂ થઈને બહેરામપુરા, કાંકરિયા, મણિનગર, વટવા, ઈસનપુર, શાહઆલમ, નવાગામ વગેરે વિસ્તારોમાં વિસ્તરેલી હતી. જો કે તે વિસ્તારો તે સમયે બીજા નામથી પ્રચલિત હતા. ત્યાં જૈનોની વસ્તી ઘણી હતી અને તે વિસ્તારોમાં ભાભા પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય, ૭૨ જિનાલયવાળો અરિષ્ટનેમિપ્રસાદ વગેરે મોટા ભવ્ય જૈન મંદિરો વિદ્યમાન હતાં. ત્યારબાદ પણ અમદાવાદના ઘણા પરા વિસ્તારોમાં જૈનોની વસ્તી કેન્દ્રિત થઈ હતી. અમદાવાદનો સરસપુરનો વિસ્તાર એક સમયે જૈનોની વસ્તીથી ધબકતો હતો. ઉપરાંત, આજે પ્રસિદ્ધ ગોમતીપુર; રાજપુર, અમરાઈવાડી, અસારવા, જહાંગીરપુરા વગેરે વિસ્તારો પણ જૈનોની વસ્તીથી ધબકતા હતા. જો કે તે સમયે આ વિસ્તારો અન્ય નામથી પ્રચલિત હતા. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ સં૧૬૮૨માં સરસપુરમાં શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું ભવ્ય બાવન જિનાલય બનાવડાવ્યું હતું. તે અગાઉ પણ રાજનગરમાં અને તેની આસપાસનાં પરાંઓમાં અનેક જૈન દેરાસરો વિદ્યમાન હતાં જ. આશાપલ્લી રાજ્યનો સમય કર્ણાવતી રાજ્યનો સમય તથા અમદાવાદ શહેર વસાવવામાં આવ્યું ત્યારબાદ બાદશાહી અમલનો સમય અને મુગલ રાજ્યનો અકબર અને જહાંગીરના રાજ્ય અમલ દરમ્યાનનો સમય-એ જૈન શાસનના પ્રભાવને માટે સાનુકૂળ સમય હતો. જો કે અમદાવાદ શહેરની સ્થાપના થયા બાદ જૂની આશાપલ્લી નગરી અને કર્ણાવતી નગરીનાં ઘણાં જૈન મંદિરોનો નાશ કરવામાં આવ્યો હતો. અને એ જૈન મંદિરોના પથ્થરોનો ઉપયોગ બાદશાહી અમલ દરમ્યાનની શરૂઆતમાં બંધાયેલી મસ્જિદો તથા અન્ય સ્થાપત્યોમાં કરવામાં આવ્યો, તેવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy