SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ૧૪૭ સમય પસાર થતાં થતાં આ વિસ્તારમાં જૈનો-હિંદુઓની વસ્તી ખૂબ જ ઓછી થવા લાગી. શહેરમાં આ દેરાસર સુરક્ષિત રહી શક્યું, પણ ઈ. સ. ૧૯૯૩ની શરૂઆતમાં (સં. ૨૦૪૯) સમગ્ર શહેરમાં કોમી તંગદિલી વધી ત્યારે દેરાસરની અસલામતી સર્જાતા ખૂબ જ ખેદની લાગણી સાથે-પ્રભુની મંજૂરી સાથે દેરાસરમાં બિરાજમાન સમગ્ર પરિવારને તા .૧૫-૧-૧૯૯૩ના રોજ સ્થળાંતર કરીને શહેરની બહારના શાંત વિસ્તાર તથા જૈન સમાજની ખૂબ જ વસ્તીવાળા સમુદાયમાં લાવીને બિરાજમાન કરવામાં આવ્યા છે. આજે જમાલપુર ટોકરશાની પોળના એ દેરાસરની તમામ પ્રતિમાઓ નવા વિકસેલા સેટેલાઈટ રોડ ઉપર ‘પ્રેરણાતીર્થ જૈન દેરાસર'માં સ્થળાંતર કરવામાં આવી છે. પ્રેરણા તીર્થ શ્વેતાંબર મૂ॰ પૂ જૈન સંઘ ખૂબ જ ઉત્સાહપૂર્વક એક વિશાળ ભવ્ય જિનાલય બાંધવાનું આયોજન કરી રહ્યો છે. ધરણીધર શંખેશ્વર પાર્શ્વનાથ (સં. ૨૦૩૮) પાલડી વિસ્તારમાં ધરણીધરના દેરાસર તરીકે પ્રચલિત થયેલું મૂળનાયક શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનનું આ દહેરાસર શિખરબંધી છે. આ દેરાસરમાં એક તરફ ઘંટાકર્ણની દેવકુલિકા છે. તો બીજી તરફ પદ્માવતી માતાની દેવકુલિકા છે. શંખેશ્વર પાર્શ્વનાથના આ દેરાસરની પ્રતિષ્ઠા સં. ૨૦૩૮ ફાગણ સુદ ત્રીજના દિવસે થઈ હતી. ૫૦ પૂ. આ ભગવંત શ્રીમદ્ કૈલાસસાગરસૂરીશ્વરજી તથા આ ભગવંત શ્રીમદ્ સુબોધસાગરસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં પ્રતિષ્ઠા થઈ હતી. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા એકત્રીંસ ઇંચનાં છે. ઉપરાંત, આદીશ્વર, મહાવી૨ સ્વાંમી, શીતલનાથ તથા શાંતિનાથ ભગવાનની પ્રતિમાઓ પણ બિરાજમાન છે. શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવની પ્રતિષ્ઠા તથા શ્રી પદ્માવતી માતાજીની પ્રતિષ્ઠા સં. ૨૦૩૯ના ફાગણ સુદ ત્રીજને શુક્રવારે-(તા. ૧૭/૩/૧૯૮૩) થઈ હતી. મૂળનાયક શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનના દેરાસરનો વહીવટ શ્રી પ્રેમવર્ધક જૈન શ્વે મૂ૰ સંઘ દ્વારા થાય છે, જ્યારે ઘંટાકર્ણ મહાવીર દેવનું એક અલગ ટ્રસ્ટ છે, જે ટ્રસ્ટનું નામ શ્રી પ્રેમવર્ધક ઘંટાકર્ણ મહાવીર દેવ ટ્રસ્ટ છે. શ્રી પદ્માવતી માતાજીનું પણ અલગ ટ્રસ્ટ છે, જેનું નામ શ્રી પ્રેમવર્ધક પદ્માવતી માતાજી ટ્રસ્ટ છે. આ ત્રણેય ટ્રસ્ટોનો વહીવટ શ્રી પ્રેમવર્ધક જૈન શ્વે૰ મૂ સંઘ કરે છે. આ દેરાસરમાં રોજ સેવા-પૂજાનો લાભ લેનારની સંખ્યા પાંચસોથી પણ વધુ છે. જ્યારે રવિવાર, બેસતો મહિનો કે પૂનમને દિવસે લાભ લેનારની સંખ્યા એક હજાર સુધીની થઈ જાય છે. દર્શન કરવા આવનારની સંખ્યા ખૂબ મોટી છે. આ દેરાસરનું મહત્ત્વ રાજનગરના જૈન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy