SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ રાજનગરનાં જિનાલયો શ્રાવકોમાં ઉત્તરોત્તર વધવા જ માંડ્યું છે. રવિવાર, બેસતો મહિનો, પૂનમનો દિવસ કે અન્ય તહેવારોના દિવસે આ દેરાસર આગળ શ્રાવકોનો જાણે મેળો ભરાય છે ! નાની વાસણ શેરી સરસપુર સુમતિનાથ (સં. ૧૯૭૯ પહેલાં) સરસપુર વિસ્તાર જૈન શાસનની પ્રવૃત્તિઓનો ખૂબ જ પ્રાચીન વિસ્તાર છે. નગરશેઠ શાંતિદાસ ઝવેરીએ બંધાવેલા અને માત્ર બે દસકામાં જ નષ્ટ કરવામાં આવેલું શ્રી ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર એક સમયે સરસપુર વિસ્તારમાં જ વિદ્યમાન હતું. સરસપુરમાં અને તેની આજુબાજુના વિસ્તારોમાં ઘણાં જૈન દેરાસરો હતાં જે નષ્ટ થઈ ગયાં છે. • સરસપુર રાજનગરના પ્રવેશ માટેનું મુખ્ય મથક હતું- મુખ્ય પરું હતું. રાજનગરમાં સુરત વગેરે સ્થળોએથી આવતા સંઘો એ જમાનામાં પોતાનો મુકામ સરસપુરમાં રાખતા હતા. સરસપુરમાં સંઘને રહેવા માટેની વ્યવસ્થા થતી હતી. સં. ૧૮૨૧માં સુરતથી આવેલા એક સંઘે સરસપુરમાં દસ દિવસ માટે મુકામ કર્યો હતો. અને તે મુકામ દરમ્યાન રાજનગરનાં દેરાસરોમાં ભક્તિ-આરાધના કર્યા હતા. આજે વિદ્યમાન શ્રી સુમતિનાથજીનું જૈન દેરાસર અમારી માન્યતા મુજબ ઘણું પ્રાચીન હોવાનો સંભવ છે. સં. ૧૯૭૯માં આ દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. અને તે સમયે આ દેરાસરની વર્ષગાંઠ મહા વદ-૪ દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ આ દેરાસરનો સં. ૧૯૮૭માં જીર્ણોદ્ધાર થયેલો છે. અને તે સમયથી આ દેરાસરની વર્ષગાંઠ મહા સુદ-૧૦ ને દિવસે ઊજવવામાં આવે છે. સં. ૨૦૦૯માં જૈન તીર્થ સર્વ સંગ્રહમાં આ દેરાસરનો ઉલ્લેખ ધાબાબંધી દેરાસર તરીકે થયેલો છે. તે સમયે આ દેરાસર શ્રી સંઘે બંધાવ્યાનો ઉલ્લેખ છે. અને સ્થાપનાનો સંવત ૧૯૮૭-મહાસુદ-૧૦ દર્શાવવામાં આવેલ છે. પરંતુ, ઉપર જણાવ્યા મુજબ આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૭૯માં થયેલો જ છે, જેથી આ દેરાસરનો જીર્ણોદ્ધાર સં. ૧૯૮૭માં થયેલો હોવો જોઈએ. સ્થાનિક માહિતી પ્રમાણે પણ આ દેરાસર અતિ પ્રાચીન ગણવામાં આવે છે. મૂળનાયક સુમતિનાથ ભગવાનની પદ્માસનસ્થ પ્રતિમાજી પંદર ઇંચ ઊંચાઈનાં છે. પ્રતિમાજી ખૂબ જ ચમત્કારિક છે, અને તે કારણે દિવસે દિવસે તેનો મહિમા વધતો જ જાય છે. આ દેરાસરનો સમય જ્યાં સુધી અન્ય પુરાવાઓ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સં. ૧૯૭૯ પહેલાંનો નક્કી કરી શકાય. જો કે આ અંગે વધુ સંશોધન કરવાથી આ દેરાસરની સ્થાપનાના સમય અંગે નવો પ્રકાશ પ્રાપ્ત થવાનો ખૂબ જ સંભવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy