SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ રાજનગરનાં જિનાલયો પદ્માવતી પ્રતિષ્ઠિત થયેલાં હતાં. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે. “નલોડઈ પાસ જિન ધરણ પઉમાવઈ યુક્ત ભુઈરઈ ત્રણ પડિમા ભાવ ધરુ ભલ ભક્તિ ” સં. ૧૮૨૧માં સુરતથી ગોડી પાર્શ્વનાથનો સંઘ નીકળ્યો હતો. આ સંઘે વિવિધ જૈન તીર્થો અને મોટાં નગરોની યાત્રા કરી હતી. સંઘે સં. ૧૮૨૧ના માગશર વદ-૫ના દિવસે સુરતથી નીકળી રાજનગરનાં દેરાસરોની યાત્રા કર્યા બાદ નરોડાની પણ યાત્રા કરી હતી. તે સમયે ‘નરૂડુ' (શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ દે. ૧) ની યાત્રા કરી હતી. એ મુજબનો ઉલ્લેખ “જૈન પરંપરાનો ઇતિહાસ” ભા. ૪ પૃ. ૮૬ પર ત્રિપુટી મહારાજે કર્યો છે. એટલે કે આ દેરાસરનો સં. ૧૯૬૨માં ઉલ્લેખ થયા પછી સં. ૧૮૨૧માં પણ તેનો ઉલ્લેખ થાય છે. આજે દેરાસરની એક તરફ નાગેશ્વર પાર્શ્વનાથ તથા બીજી તરફ ઘંટાકર્ણ મહાવીર તથા આગત-અનાગત ચોવીસી છે. આ દેરાસરમાં પ્રતિષ્ઠિત પદ્માવતી માતાની પ્રતિમાનું સત ખૂબ જ મનાય છે. અને તે કારણે આ દેરાસરમાં દર્શનાર્થીઓની સંખ્યા હંમેશાં ખૂબ જ મોટી રહે છે. આ દેરાસરનો જીર્ણોદ્ધાર હરકુંવર શેઠાણીએ કરાવ્યાની નોંધ છે. જમાલપુર ટોકરશાની પોળ-(પ્રેરણા તીર્થ) ગોડીજી પાર્શ્વનાથ (૪૦૦ વર્ષ જૂનું) જમાલપુર-ટોકશાની પોળમાં ગોડીજી પાર્શ્વનાથનું જૈન દેરાસર આશરે ૪૦૦ વર્ષ જૂનું છે. લલિતસાગરની ચૈત્ય પરિપાટીમાં જમાલપુરમાં ત્રણ દેરાસરોમાં સંયુક્ત જિનાલયનો ઉલ્લેખ જોવા મળે છે. જેમાં સુમતિનાથ, આદિનાથ તથા શાંતિનાથ ભગવાનનાં ચૈત્યોનો ઉલ્લેખ છે. જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસર બંધાવનારના નામના ઉલ્લેખમાં નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈના નામનો ઉલ્લેખ આવે છે. એટલે કે આ દેરાસર નગરશેઠ કુટુંબની પરંપરામાં કોઈએ બંધાવ્યું છે. ઈ. સ. ૧૯૦૭માં (સં. ૧૯૬૩માં) શ્વેતાંબર જૈન કૉન્ફરન્સના દ્વારા તૈયાર થયેલી દેરાસરોની ડિરેક્ટરીમાં આ દેરાસર બંધાવનારનું શેઠ પ્રેમાભાઈ હેમાભાઈ એવો ઉલ્લેખ છે. દેરાસર ધાબાબંધી હતું. આ દેરાસરમાં પ્રતિષ્ઠિત થયેલી પ્રતિમાજીઓ ખૂબ જ પ્રાચીન છે. તે સમયે નગરશેઠે રૂા. ૫૦,૦૦૦/૦૦ના ખર્ચે ત્રણ મજલાવાળું આ સુંદર જૈન મંદિર બંધાવ્યું. અને તેમાં સંપ્રતિ મહારાજાના વખતની ભરાવેલી એકાવન સુંદર પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરાવેલી. વર્ષો જતાં રાજ્યના સત્તાધીશો બદલાયા તે મુજબ દેરાસરને ચારે બાજુથી મજબૂત કોટથી સુરક્ષિત કરવામાં આવ્યું હતું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy