________________
રાજનગરનાં જિનાલયો
રાજપુર સંભવનાથ (સં. ૧૮૨૧ પહેલાં)
શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ (સં. ૧૮૨૧ પહેલાં) રાજપુર-ગોમતીપુર વિસ્તારમાં આવેલું આ દેરાસર ગુંબજબંધી અને ભોયરાવાળું છે. ભોંયરામાં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથનું ગર્ભગૃહ છે. અને ઉપર ભોયતળિયે મૂળનાયક સંભવનાથ ભગવાન છે.
આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૮૨૧ની જ્ઞાનસાગરગણિ કૃત “તારાચંદ સંઘવી રાસ” અમદાવાદ ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે.
“રાજપુરામાં ભેટિયા શ્રી સામલો પાસ
હરીપુરો હર્ષે કરી વાસુપૂજ્ય ઉલ્લાસ ” રાજપુરમાં ચારસો વર્ષ અગાઉ નમિનાથ ભગવાન, શીતલનાથ ભગવાન, આદિનાથ ભગવાન તથા શ્રેયાંસનાથ ભગવાન એમ કુલ ચાર દેરાસરો હતાં. તેમાંના કોઈ મૂળનાયક ભગવાનવાળું દેરાસર આજે હયાત નથી. આજે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ અને સંભવનાથ ભગવાનનું દેરાસર હયાત છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાન ભોંયરામાં છે. સંભવ છે કે ચારસો વર્ષ અગાઉ જે શીતલનાથ ભગવાનનો ઉલ્લેખ ભોંયરાવાળા દેરાસર તરીકે પ્રાપ્ત થાય છે. તે જગ્યા પર ત્યારબાદ ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર અસ્તિત્વમાં આવ્યું હોય. તેથી આજે હયાત ચિંતામણિ પાર્શ્વનાથનું દેરાસર ઘણું પ્રાચીન હોવાનું માની શકાય છે. જો કે આ અંગે વધુ સંશોધન કરવું જરૂરી છે.
“જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં મૂળનાયક ચિંતામણિ પાર્શ્વનાથજી પર સં. ૧૬૭૭ના લેખનો ઉલ્લેખ આવે છે. ભોંયરામાં આવેલી ચિંતામણિ પાર્શ્વનાથની પ્રતિમાનું શિલ્પ કલાકૃતિનો એક ઉત્તમ નમૂનો છે. ભોંયરામાં શેઠ-શેઠાણીની મૂર્તિ છે. દેરાસરમાં થાંભલા પર દેવકુલિકા બનાવેલ છે. ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાજી ખૂબ જ અલૌકિક તથા ચમત્કારિક છે. આ વિસ્તારમાં આજે જૈનોનાં ફક્ત ચાર જ ઘર છે. છતાં, શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની પ્રત્યે ખૂબ જ આસ્થા, અને શ્રદ્ધા પ્રવર્તતી હોવાથી દર્શનાર્થીઓની સંખ્યા ઘણી છે. દર રવિવારે આશરે ૪૦૦થી ૫૦૦ શ્રાવક-શ્રાવિકાઓ દર્શનાર્થે આવે છે.
નરોડા
ગોડી પાર્શ્વનાથ (સં. ૧૬૬૨ પહેલાં) ગોડી પાર્શ્વનાથનું આ દેરાસર આજે શિખરબંધી છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૯૬૨માં ભોંયરાવાળા દેરાસર તરીકે થયેલો હતો. તે સમયે ભોયરામાં ધરણેન્દ્ર અને રા-૧૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org