________________
૧૪૨
રાજનગરનાં જિનાલયો રાજા મહેતાની પોળ તથા લક્ષ્મીનારાયણની પોળનાં દેરાસરો
આદીશ્વર-કુંથુનાથ
(સં. ૧૬૬૨ પહેલાં) રાજા મહેતાની પોળમાં આવેલી તોડાની પોળમાં આદીશ્વર ભગવાનનું ઘુમ્મટબંધી દેરાસર વિદ્યમાન છે. તથા રાજા મહેતાની પોળમાં આવેલી લક્ષ્મીનારાયણની પોળમાં કુંથુનાથ ભગવાનનું ઘુમ્મટબંધી તથા ભોંયરાવાળું દેરાસર છે. આ બંને દેરાસરોનો ઉલ્લેખ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આવે છે.
“પાટક રાજા મહિતઈ એ પહિલું પ્રથમ નિણંદ ચુપન પ્રતિમા જુહારાઈ આઘા શાંતિ મુણિંદ મૂરતિ આઠ ત્યહાં અભિનવી પાસઈ બીજુ પ્રાસાદ ચંદ્રપ્રભુ જિનવર વાંદીઈ દીઠઈ જાય વિખવાદ // તિહા પડિમા અઠ્ઠાવન દેહરાસર શ્રી અ શાંતિ ઉગણા સઠિ પ્રતિમા વલી કીજઈ ધ્યાન એકાંતિ કુંથપ્રસાદિ મૂરતિ વારુ ર તે જાણ
સંઘવી કાલાની પોલિએ સંભવનાથ વખાણ //'' ઉપર જણાવ્યા મુજબ સં૧૬૬૨માં “પાટક રાજા મહેતા'ના નામથી ઓળખાતા વિસ્તારમાં કુલ પાંચ દેરાસરો હતાં – આદિનાથ, શાંતિનાથ, ચંદ્રપ્રભુ, શાંતિનાથ, કુંથુનાથ. તે પૈકીમાંનાં આજે પણ આદિનાથ તથા કુંથુનાથનાં દેરાસરો વિદ્યમાન છે.
સં. ૧૮૨૧માં પણ રાજા મહેતાની પોળમાં બે દેરાસરો હતાં. તેવો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થાય છે.
“રાજા મહેતા કાલ સંઘવી તણી ધનાસુતારની પોલ
દેવલ દોદો નીરખઈ કુણ કરે રસ હોડ છે” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં રાજા મહેતાની પોળમાં કુંથુનાથ, આદીશ્વર ભગવાનનાં દેરાસરોનો ઉલ્લેખ નીચેની પંક્તિઓમાં પ્રાપ્ત થાય છે.
“ઝાંપડા પોલ જૂહારણ કોડ શાંતિ નમુ કર જોડ રાજા નેતાની પોલ ઉદાર હોય દેહરા સુખ દાતાર
કુંથુનાથ આદિસ્વર તાર બીજો તારક નહીં સંસાર” સં. ૧૯૬૨માં પ્રગટ થયેલ જૈન ડિરેક્ટરીમાં આ બંને દેરાસરોનો ઉલ્લેખ ઘુમ્મટબંધી દેરાસર તરીકે થયેલો છે.
સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં પણ આદિનાથ તથા કુંથુનાથનાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org