SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૧ રાજનગરનાં જિનાલયો પંક્તિઓમાં થયેલો છે. “હાજા પટેલની પોળમાં દહેરાં ઝાર્યા સાત ટીમલા-પંજી પંચાણની એક એક વિખ્યાત !” સં. ૧૯૧૨માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની પંક્તિઓમાં થયેલો છે. નેમિ જિનવર રે બ્રહ્મચારી ચેહરો પોલ ટીલબરે દીઠો અભિનવ દેહરો પટેલ હાજા રે ગાજે નવ શાસન પતિ પોલ મંદિર શાંતિનાથ સુભ મતિ.” સં. ૨૦૦૯માં પ્રગટ થયેલ “જૈન તીર્થ સર્વ સંગ્રહ”માં આ દેરાસરનો ઉલ્લેખ નમિનાથજીના દેરાસર તરીકે થયેલો છે. તેમાં મૂળનાયકના લેખનો સં૧૬૬૩ દર્શાવવામાં આવ્યાં છે. જો કે સં. ૧૬૫૩ના બદલે સં. ૧૬૬૩ શરતચૂકથી છપાયું હોવાનો વિશેષ સંભવ છે. સં. ૨૦૦૯માં દેરાસરના મેડા ઉપર તથા ભોયરામાં પ્રતિમાજી છે તેવો પણ ઉલ્લેખ છે. ત્યારબાદ સં. ૨૦૧૦માં જીર્ણોદ્ધાર થયો હોય તે સમયે ભોયરું બંધ કરી દેવામાં આવ્યું હશે. આ દેરાસરમાં પ્રાચીન લેખ આજે પણ વિદ્યમાન છે, જેનું ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું જ મૂલ્ય છે. ઉપરાંત, સં. ૨૦૧૦માં થયેલા જીર્ણોદ્ધાર સમયે પણ એક મોટો લેખ દેરાસરમાં લગાડવામાં આવ્યો છે. પ્રસ્તુત બંને લેખોના આધારે નિર્ણય થઈ શકે છે કે આ દેરાસરની સ્થાપના સં૧૬૫૩માં થઈ હતી. અને તે સમયે દેરાસર ભોંયરાવાળુ હતું. વળી, તે સમયે આ પોળનું નામ “ટીંબલા પાડો” હતું, જે પાછળથી મનસુખભાઈ શેઠની પોળ તરીકે પ્રચલિત થયું છે. આ દેરાસર પોરવાડ જ્ઞાતીય સંઘવી શેઠ શિવા સોમજીએ પોતાના સ્વદ્રવ્યથી બંધાવ્યું હતું. તથા પરિકર સહિત નમિનાથ ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. શિવા સોમજીએ સિદ્ધગિરિજી ઉપર સવા સોમજીના નામથી સુપ્રસિદ્ધ ચૌમુખજીની ટૂંક બંધાવી છે. તેમજ અમદાવાદમાં ધનાસુથારની પોળમાં શ્રી શાંતિનાથ ભગવાનનું, શામળાની પોળમાં શ્રી શામળા પાર્શ્વનાથનું દેરાસર બંધાવ્યું હતું. ઉપરાંત અન્ય સ્થળોએ પણ અનેક જિનમંદિરો બંધાવ્યાં હતાં અને પ્રતિષ્ઠા કરાવી હતી. - સવા સોમજી અંગેની વિશેષ માહિતી “રાજનગરનાં જૈન શ્રેષ્ઠીઓ”નામના પ્રકરણમાં આપવામાં આવી છે. સં. ૨૦૧૦માં જીર્ણોદ્ધારનું કામ પૂર્ણ થયા બાદ પરમ પૂજ્ય આચાર્ય શ્રી વિજયોદય સૂરીશ્વરજી તથા તેમના શિષ્ય-પ્રશિષ્યાદિ પરિવાર સહિત પધાર્યા હતાં. અને સર્વ વિધિ-વિધાનો તેઓશ્રીના શુભ હસ્તે થયાં હતાં. હાલ દેરાસરમાં ઉપર મેડા ઉપર સુમતિનાથ ભગવાન બિરાજમાન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy