SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો ‘મિરાતે અહમદી’ના વૉલ્યુમ-૨ ખંડ-૩નાં પૃષ્ઠ ૫૫૬થી ૫૫૮માં આગની વિગતો સવિસ્તરણ નોંધવામાં આવી છે, જેમાંનો કેટલોક ભાગ નીચે મુજબ જણાવેલો છે— ૧૪૦ .અગ્નિની એક જ્વાળા કાલુપુર બજારના રસ્તા ઉપર આવેલા ધંજી પંચાણ નામના મહોલ્લામાં ચેતીં. એ મહોલ્લામાં દિલપસંદ ઊંચાં મકાનો અને જેની પોલાદથી બંધાયેલી દીવાલ હોય' એવી મનોહર ગગનચુંબી ઇમારતો આવેલી હતી....... 66 આગને બુઝાવવા તદબીરનાં પાણી છાંટી છાંટી ઘણીયે કોશિશ ને પ્રયત્ન કરવામાં આવ્યા. પરંતુ ઈશ્વરે ઇચ્છા અનુકૂળ ન હોવાથી કાંઈ ફાયદો થયો નહિ. અને આખો મહોલ્લો જેમાં વસાયેલાં અને ખાલી આટલાં બધાં મકાનો હતાં તે બળી ગયો, અને જાણે ચૂનાની ભઠ્ઠી હોય તેવો દેખાવા લાગ્યો, ને છેવટે તેની રાખ થઈ ગઈ.......આગ બુઝાયા બાદ બળીદાસ ઝાંપડાના ઘરમાંથી લગભગ હજાર રૂપિયાની કિંમતના તો ખીલા ને બારીના લોખંડના સળિયા નીકળ્યા.' આદીશ્વર ભગવાનની પરિકર સહિતની પદ્માસનસ્થ પ્રતિમા આશરે એકવીસ ઇંચ ઊંચાઈની છે. સ્થાનિક મત પ્રમાણે પ્રતિમાજી ખૂબ જ પ્રાચીન છે. દેરાસરમાંની ચાંદીની વિશિષ્ટ કારીગરી ખાસ નોંધપાત્ર છે. ચાંદીનું સુંદર મૂઠિયું, ચાંદીથી મઢેલા ગભારાનાં ત્રણ દ્વાર, ચાંદીના કલાત્મક ખૂણિયાં, નાની મોટી ઊંચાઈના બાજોઠો, ચોવીસી સાથે ચાંદીના અષ્ટાપદજી, ચાંદીના ભંડારો નંગ-૨ તથા ચાંદીની દીવી અને તેમનું સ્ટેન્ડ સુંદર કોતરણીવાળાં છે. ચાંદીની આ સઘળી કલા-કારીગરી એ વધુ જૂના સમયની હોવાની પ્રતીતિ કરાવે છે. ટૂંકમાં, ઉપર જણાવેલ હકીકતોને આધારે અમારી માન્યતા પ્રમાણે આ દેરાસર સં ૧૮૨૧ પહેલાંનું હોવાનો વિશેષ સંભવ છે. આ અંગે વધુ સંશોધન કરવામાં આવે તો ઘણી નવી વિગતો પ્રકાશમાં આવે તેમ છે. મનસુખભાઈની પોળ નમિનાથ (સં. ૧૬૫૩) નિમનાથનું આ દેરાસર રાજનગરનાં પ્રાચીન દેરાસરોમાંનું એક છે. આ દેરાસરનો ઉલ્લેખ સં. ૧૬૬૨માં રચાયેલી લલિતસાગર મહારાજની ચૈત્ય પરિપાટીમાં થયેલો છે. તે સમયે આ સ્થળનો ઉલ્લેખ “ટીંબલા પાડો” તરીકે થયેલો છે. ચૈત્ય પરિપાટીમાં નીચે મુજબની પંક્તિઓમાં આ દેરાસરનો ઉલ્લેખ થયો છે. “ઉલ્ડસઈ સામલ પાસ દેહરઇં ચ્યુઆલીસ મૂતિ ખરી તિહા થકી ટીંબલા તણઈ પાડઈ એકવીશમું ભેટુ રુલી.’ સં. ૧૮૨૧માં રચાયેલી ચૈત્ય પરિપાટીમાં આ દેરાસરનો ઉલ્લેખ નીચે મુજબની Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy