SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ રાજનગરનાં જિનાલયો તરીકે થયેલો છે. આદિનાથજીના દેરાસર તરીકે ઉલ્લેખ થયો છે અને વિસ્તારનું નામ “ઝાંપડાની પોળ” દર્શાવવામાં આવ્યું છે. ઉપરાંત, તે સમયે દેરાસરમાં ચાંદીની એક ગુરુમૂર્તિ હોવાનો પણ ઉલ્લેખ થયેલો છે. સં. ૧૮૨૧માં રચાયેલી અમદાવાદ ચૈત્ય પરિપાટીમાં બંજી પંચાણની પોળમાં એક દેરાસરનો ઉલ્લેખ થયેલો છે. ચૈત્ય પરિપાટીમાં હાજા પટેલની પોળનાં દેરાસરો, ત્યારબાદ ટીંબલા પોળનું દેરાસર, ત્યારબાદ ધંજી પંચાણની પોળનું દેરાસર, ત્યારબાદ રાજા મહેતાની પોળ, કાળુશીની પોળનું દેરાસર તથા ધનાસુથારની પોળનાં દેરાસરોનો નીચે મુજબની પંક્તિઓમાં ઉલ્લેખ થયો છે. ૧૩૯ “હાજા પટેલની પોળમાં દહેરા ઝાર્યાં સાત ટીમલા-ધંજી પંચાણની એક એક વિખ્યાત ॥ રાજા મહેતા કાલુ સંઘવી તણી ધનાસુતારની પોલ દેવલ દોદો નીરખઈ કુણ કરે ત્તસ હોડ II” એટલે કે જે ભૌગોલિક ક્રમમાં દેરાસરોના વિસ્તારોનો ઉલ્લેખ થયો તેમાં આ ‘ધંજી પંચાણની પોળ'નો વિસ્તાર આજની ઝાંપડાની પોળના વિસ્તાર સાથે વધારે મેળ ધરાવે છે. આ વિસ્તારની ઢીંકવા ચોકીથી કાલુપુર સુધીના મુખ્ય રસ્તાની ઉપર આવેલી પોળમાં એક મોટી આગ લાગી હોવાના ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, જેમાં મોટા ભાગનાં મકાનો આગમાં નાશ પામ્યાં, તેવો ઉલ્લેખ પણ મળે છે. સંભવ છે કે તે સમયે તે પોળમાં આવેલા દેરાસરને પણ આગના કારણે નુકસાન થયું હોય. ત્યારબાદ નવેસરથી પોળનાં મકાનો બંધાયાં હોય અને પોળનું નામ તે સમયે બદલાઈ ગયું હોય. આ સંદર્ભમાં આ દેરાસર સં. ૧૮૨૧ પહેલાંનું હોવાના મતને આધાર મળે છે. સ્થાનિક માહિતી પ્રમાણે આ દેરાસર ત્રણસો વર્ષ પ્રાચીન હોવાનો મત છે. દેરાસર લાકડાની બાંધણીનું હતું. આ દેરાસરનો જીર્ણોદ્વાર સં. ૨૦૦૯માં થયો હતો. અને તે સમયે મૂળનાયક શ્રી આદિનાથ ભગવાનની પુનઃપ્રતિષ્ઠા થઈ હતી. પુનઃપ્રતિષ્ઠા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજની (બાપજી મહારાજની) નિશ્રામાં થઈ હતી. અને પ્રતિષ્ઠાનો લાભ બોલી બોલી સંઘનો આદેશ લઈ શેઠ શ્રી બકુભાઈ મણીભાઈએ લીધો હતો. તે સમયથી આ દેરાસરની વર્ષગાંઠ મહા સુદ ૧૦ ને દિવસે ઊજવાય છે. પરંતુ તે અગાઉ આ દેરાસરની વર્ષગાંઠ પોષ વદ-૮ના દિવસની હતી. આ અંગેનો ઉલ્લેખ સં ૧૯૭૯માં પ્રસિદ્ધ થયેલ “શ્રી વિવિધ પૂજા સંગ્રહ” ભા. ૧-૨-૩-૪ ગ્રંથમાં થયેલો છે. અમારી માન્યતા પ્રમાણે આ પોળનું નામ “ઝાંપડાની પોળ’જ હતું. ખોટો તર્ક કરીને કે ભૂલથી ખોટું અર્થઘટન કરીને ધ્વન્યાત્મક સામ્યને કારણે આ પોળનું નામકરણ “જહાંપનાહની પોળ” થયું હોવાનો સંભવ છે. જે સમયે આ વિસ્તારમાં આગ લાગી હતી ત્યારે એક ઝાંપડા નામની વ્યક્તિનો ઉલ્લેખ થયેલો છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005595
Book TitleRajnagarna Jinalayo
Original Sutra AuthorN/A
AuthorJitendra B Shah, Chandrakant Kadia
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1997
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy